________________
૨૮૬ : જૂનાગઢ અને ગિરનાર
ચાલ્યા ગયા.' શ્રી પુરુષોત્તમરાય ઝાલા
બાબી વંશના સ્થાપક શેરખાનના મંત્રી જગન્નાથ ઝાલાના ભાઈ રૂદ્રજીના પુત્ર અમરજીના ત્રણ પુત્રો હતા. તેમાં ગેવિંદજી તથા ઈદ્રજી જૂનાગઢમાં દવાન પદે આવેલા. ત્રીજા ભાઈ વલ્લભજીના પુત્ર સુંદરછ હતા તે નવાબ મહાબતખાન બીજાના રહસ્ય મંત્રી હતા. નવાબ ઈ. સ. ૧૮૭૭માં દિલ્હી દરબારમાં જવાના હતા ત્યારે સુંદરજી વેરાવળ બંદરે એકાએક બીમાર થઈ જતાં નવાબે તેની અવજી તેના માત્ર પંદર વર્ષની વયના પુત્ર પુરુષોત્તમરાયને સાથે લીધા. નવાબ દિલ્હી હતા ત્યાં જ સુંદરજીને દેહાન્ત થયાના સમાચાર મળ્યા તેથી તેણે ત્યાં જ પુરુષોત્તમરાયને તેના પિતા રહસ્ય મંત્રી હતા તે પદ ઉપર નિયુક્ત કર્યા. - ઈ. સ. ૧૮૮૩માં તે હઝુર આસિસ્ટંટ થયા અને તે જ વર્ષમાં દીવાન સાલેહ હિન્દી છૂટા થતાં તેને નાયબ દીવાનને પદે નીમવામાં આવ્યા. આ રીતે તેણે ઈ. સ. ૧૮૮૩ થી ઈ. સ. ૧૯૦૩ સુધી વીસ વર્ષો પર્યત જૂનાગઢ રાજ્યમાં એક ધારો અધિકાર ભોગવ્યું અને ત્રણ રાજકર્તાઓની સેવા કરી. શ્રી ઝાલાએ તેની કારકીર્દિ દરમ્યાન, રસુલખાનને ગાદી અપાવવામાં, દીવાનોની પસંદગી કરવામાં, બહારવટિયાઓને પારપત કરવામાં રાજ્યમાં અનેક પ્રકારના વહીવટી સુધારાઓ કરવામાં અગત્યને ભાગ ભજવ્યો. વજીર બહાઉદ્દીનભાઈ સાથે સારો મેળ રાખી, રાજ્યમાં અને રાજ્ય બહાર નામના અને કીતિ મળે તેવાં રાજ્યહિતનાં કાર્યો કર્યા.
જૂનાગઢ રાજ્યને વિસ્તાર દીવાન અમરજી અને તેના પુત્રો રઘુનાથજી અને રણછોડજીએ તલવારના બળથી વધાર્યો, ત્યારે શ્રી ઝાલાએ તેના બુદ્ધિબળા કુનેહ અને રાજનીતિથી ગીરાસદારો પાસેથી ઘણું જમીને મેળવી તે કાર્ય કર્યું. આ મહાન મુત્સદ્દીએ, તેની પ્રતિભા, વિચક્ષણતા અને કુશળતાથી જૂનાગઢ રાજ્યને તત્કાલિન રાજ્યમાં અગ્રિમ સ્થાન અપાવ્યું. પરંતુ રાજ્યહિત કરવાના અદમ્ય ઉત્સાહમાં તેણે પ્રજાના એક વર્ગને દ્વેષ અને અંગ્રેજ અધિકારીઓને વિરોધ વહેરી લીધે.
વજીર બહાઉદ્દીનભાઈ વૃદ્ધ થયા હતા અને તેની લાગવગ રાજ દરબારમાં જૂન થઈ ગઈ હતી. યુવરાજ શેરઝમાનખાન વયમાં આવતાં રાજ્યવહીવટમાં
1 તેઓ તે પછી કચ્છના મુખ્ય દીવાનપદે નીમાયેલા.