SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ઃ જૂનાગઢ અને ગિરનાર ૧૮૯૩માં પ્રભાસપાટણમાં કોમી ઉપદ્રવ થશે અને એજન્સીને હસ્તક્ષેપ કરવાનું ગ્ય કારણ મળી જતાં, શ્રી. ચુનીલાલને બ્રિટિશ સેવામાં પાછા બોલાવી લેવામાં આવ્યા અને રાજ્ય શ્રી. હરિદાસ વિહારીદાસને બેલ વી પુનઃ દીવાનગીરી સંપી. - શ્રી. હરિદાસ, વયના કારણે સંપૂર્ણ નિવૃત્તિ ઈચ્છતા હતા તેથી તેણે મુક્ત થવા માટે પુનઃ વિનંતી કરી અને તેને સ્વીકાર થતાં તારીખ ૧૬-૧૧૮૯૫ના રોજ તેમણે જૂનાગઢ રાજ્યની દીવાનગીરી છોડી દીધી. ' શ્રી. શ્યામજી કૃષ્ણવર્મા આ સમયે એજન્સીના અમુક વરિષ્ઠ અધિકારીઓને અભિપ્રાય એ હતા કે મુસ્લિમ રાજયને દીવાન મુસ્લિમ જ હોવો જોઈએ. તેથી રાજ્ય શ્રી બદરૂદીન તૈયબજી અથવા અબ્દલા મહેરઅલી ધરમશીને દીવાનપદે લઈ આવવા વિચાર્યું. પણ પોલિટિકલ એજન્ટ કર્નલ હે કે કે તેમને પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. દરમ્યાન રાજ્યના સલાહકાર શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની સૂચ નાથી કચ્છના ભણશાલી શ્રી શ્યામજી કૃષ્ણવર્માની નવાબ સાહેબે દીવાન તરીકે, નિમણૂક કરી દીધી. એજન્સીએ પણ ગમે તે કારણે વાંધો લીધે નહિ. શ્રી શ્યામજી કૃષ્ણવર્મા, મુંબઈના શેઠ છબીલદાસના જમાઈ થતા અને છબીલદાસ શ્રી મનસુખરામના મિત્ર હતા. શ્યામજી મૂળ કચછ માંડવીના વતની હતા અને ઈગ્લાંડ જઈ બેરિસ્ટર થઈ આવેલા. તેઓ ઓકસફર્ડ યુનિવર્સિટીના એમ. એ. પણ હતા અને થોડા સમય ઓકસફર્ડની એક કોલેજમાં સંસ્કૃત અને મરાઠીના અધ્યાપક પણ હતા. ભારતમાં આવી રતલામ અને ઉદયપુર રાજોનાં મંત્રી મંડલમાં તેમણે કામ કરેલું. તેથી શ્રી બહાઉદ્દીનભાઈની સમ્મતિથી શ્રી મનસુખરામે દીવાનપદ માટે તેમના નામનું સૂચન કરેલું. શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ તેની જગ્યાને ચાર્જ તારીખ ૧૬-૧-૧૮૯૫ના રોજ લીધો અને થોડા જ દિવસમાં વજીર બહ ઉદ્દીનભાઈ તથા નાયબ દીવાન પુરુષોત્તમરાય ઝાલા સાથે ઘર્ષણમાં આવ્યા. તેને સ્વભાવ પણ ઉગ્ર અને ઉતાવળીઓ હતા, તેથી વરિષ્ઠ અધિકારીઓનું અપમાન કરવાના પણ ઘણા પ્રસંગે ઉપસ્થિત થયા અને તેની વિચિત્ર રીતભાતના કારણે પ્રજા પણ ત્રાસી ગઈ. - આ સમયે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજપુરુષ શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષી, પ્રતિમાસ અમુક દિવસ માટે હઝુર અદાલતના સભાસદ તરીકે જજૂનાગઢ આવતા, તેના દ્વારા પોલિટિકલ એજન્ટને શ્રી શ્યામજી કૃષ્ણવર્માની અનિચ્છનીય પ્રવૃત્તિ અને ઉદ્ધત સ્વભાવની જાણ કરી. તેને છૂટા
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy