________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૩
કાઢી કેનાલ ઉપર વાડીઓ કરાવી. શ્રી હરપ્રસાદ દેશાઈની કામગીરી માટે રાજ્ય દીવાન દફતર જાવક નં. ૧૩૧૧ તારીખ ૨૮-૩-૧૯૦૯, નં. ૧૧૭૧ તારીખ ૧૪ ૭-૧૯૦૯, નં. ૬૦૬ તારીખ ૧-૬-૧૯૧૦ માં તેની અપ્રતિમ વ્યવસ્થા શક્તિ, સિદ્ધિ અને સફળતા માટે પ્રશંસાનાં પુપે વર્યા છે તથા તેને શ્રેષ્ઠ અમલદાર તરીકે વર્ણવ્યા છે.
આજે કેશર નામથી જાણતી કરી ત્યારે સાલેભાઇની આંબડી કહેવાતી, તેની કલમો તૈયાર કરાવી તેને પ્રચાર કરવાને યશ પણ તેને ફાળે જાય છે.' દીવાને
શ્રી. હરિદાસ વિહારીદાસ દેસાઈ
નવાબ બહાદરખાનના સમયમાં, ઈ. સ. ૧૮૮૩માં દીવાનપદે આવેલા દેસાઈ હરિદાસ વિહારીદાસ, નવાબ રસુલખાન ગાદીએ આવ્યા પછી પણ ચાલુ રહ્યા. ઈ. સ. ૧૮૯૩માં તેમણે નિવૃત્ત થવા માટે નિવૃત્તિ પૂર્વેની ચાર માસની રજા માગી અને તે મંજૂર થતાં તારીખ ૨૮-૫-૧૮૯૩ના રોજ નડીયાદ જવા રવાના થયા.
શ્રી. ચુનીભાઈ સારાભાઈ છે તેના સ્થાને નીમાયેલા દીવાન ચુનીભાઈ સારાભાઈ હઝરત અમદાવાદના નાગર ગૃહસ્થ હતા. તેઓ જૂનાગઢથી તેમજ દેશી રાજ્યોના રાજકારણથી અપરિચિત ન હતા. તેમ છતાં, રાજસ્થાનિક કેટે તેના કાર્યક્ષેત્રની બહાર જઈ રહી છે અને તેનાથી રાજ્યના અધિકાર અને હકકોને વિપરિત અસર પહેચે છે. તેથી તે નાબૂદ થવી જોઈએ. અને સૌરાષ્ટ્રની રેલવે ઉપર એજન્સીને અંકુશ હતા તે ઉઠાવી લઈ જે તે રાજ્યને રેલવે સેંપી દેવી જોઈએ એ પ્રશ્નો પરવે તે એજન્સી અધિકારીઓ સાથે ઘર્ષણમાં આવ્યા. દરમ્યાનમાં ઈ. સ.
ગિરની આબાદી તથા ચોરવાડને વિકાસ તે શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈના પુરુષાર્થ, બુધ્ધિ, શક્તિ, પ્રતિભા અને શ્રમનું પરિણામ છે. (તેની વિસ્તૃત વિગતો “પિતૃતર્પણમાં આપવામાં આવી છે.) એક લેખક મહાશયે આ વિષયની વિગત સરકારી દફતર જોવા સિવાય વિકૃત સ્વરૂપે આપી હોવાથી આ સ્થળે તેની વિસ્તૃત માહિતી આપવાનું આવશ્યક બન્યું છે સદગત હરપ્રસાદ દેશાઈ લેખકના પિતાશ્રી હેવાથી આ ચર્ચા કઈક અંશે અંગત થઈ જતી જણાય છે, પરંતુ તે અનિવાર્ય છે. શ્રી હરપ્રસાદ દેશાઈની કાર્યશક્તિ, સિધ્ધિ, વગેરે માટે જુઓ પિતૃતર્પણ–- હ. દેસાઈ )