________________
૨૮૦ : જૂનાગઢ અને ગિરનાર
ચલણમાંથી પાછા ખેંચી લીધા તથા નવા પાતળા, દોકડા પાડવામાં આવ્યા. તેના ભાવ એક કારીના ૪૦ મુકરર કરી તા. ૧-૧-૧૯૦૮થી ચલણમાં મૂકયા. જૂના દોકડા એક કારીના ૨૪ લેખે તા. ૩૧-૧-૧૯૦૮ સુધી રાજ્ય ટ્રેઝરીએ સ્વીકાર્યાં.
કાવત્રુ
રસુલખાનજી, પોતાના હક્ક મારીને ગાદી ઉપર બેઠા તેમ માનીને તેના પ્રત્યે વેરવૃત્તિ દાખવી એદલખાને તેની તથા યુવરાજ શેરમાનખાનની હત્યા કરવાનું એક કાવત્રુ કયુ· હેાવાના આક્ષેપ એલખાન ઉપર ઇ. સ. ૧૮૯૭ માં મૂકવામાં આવ્યો. તેની તપાસ શરૂ થઈ તે દરમ્યાન ઈ. સ. ૧૯૦૧માં તેણે પશ્ચાતાપ જાહેર કરી નવાબની માફી માગતાં, તેણે તેના તારીખ ૨૩-૪-૧૯૦૧નાં ફરમાનથી માફી આપી.
બદનક્ષી
ઈ સ. ૧૯૦૯માં મહીકાંઠા ગેઝેટ નામના સાપ્તાહિક પત્રમાં તારીખ ૧૯-૧૨-૧૯૦૭ના અંકમાં એક લેખ પ્રગટ થયા, તેમાં નવાબ રસુલખાનની દિનચર્યા ઉપર બદનક્ષી ભરેલુ લખાણ હતું. રાજ્યે તેથી ભાઈશંકર સેાલીસીટર દ્વારા મુંબઈની કાટ માં તેના ઉપર ફરિયાદ નોંધાવી. મહીકાંઠા ગેઝેટના તત્રીએ ત લેખ માટેની સમગ્ર જવાબદારી સ્વીકારી લીધી તેમ છતાં જૂનાગઢના નાગર બ્રાહ્મણ શ્રી ગુલાબશ’કર વેારા ઉપર દોષારોપણ કરી તેની તથા તે કામમાં તેને મદદ કરવાના આક્ષેપ સહ સવ શ્રી સારાભાઈ ગિરજાશ"કર વસાવડા, ગોવિંદજી નાનજી બ્રુકસેલર, મહાસુખરાય ભવાનીદાસનાણાવટી, સૂર્યશંકર બજીભાઈ વૈદ વગેરેની ધરપકડ કરવામાં આવી. રાજ્યના આ ક્રમનકારી પગલાં માટે મુ`બઈના વર્તમાન પત્રાએ મોટા ઉહાપાહ કર્યાં. ઈન્દુ પ્રકાશે' તેના તારીખ ૧૩-૧૧૯૦૮ ના અંકમાં તેના માટે એક લેખ પણ છાપ્યા. આ કેસમાં મહીકાંઠા ગેઝેટના તંત્રીના રૂપિયા બસોના દડે થયા. અને રાજ્યે પકડાયેલા ગૃહસ્થાને મુક્ત કર્યાં.
યાદી
રાજ્યની સન્માનનીય વ્યક્તિઓને દી ૬. ન. ૨૧૦૫ તા. ૪-૭-૧૯૦૧થી
1 સ્વ. શ્રી સારાભાઈ રાજ્યમાં નાકર હતા. યુવાન વયમાં તે એક કુસ્તીમાજ અને અખાડીમલ હતા. તેમણે ઉત્તર ભારતમાંથી આવીને ચેલેન્જ ફેક્તા લીંબુજી નામના મલ્લને મહાત કરેલા, તે શ્રી દિનકરરાય વસાડાનાં પિતાશ્રી,