SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૭૯ સર્વજનિક કાર્યો - ઈ. સ. ૧૮૯૧માં દાતારને માર્ગ તથા સોપાનમાર્ગ કરવાનું શરૂ થયેલું કાર્ય ઈ. સ. ૧૮૯૪માં સંપૂર્ણ થતાં મુંબઈના ગવર્નર લોર્ડ હેરીસના હાથે નવેમ્બર માસમાં તેનું ઉદ્દઘાટન થયું. અશોકના શિલાલેખ અશોકને ઐતિહાસિક શિલાલેખ જેવા યુપીય વિદ્વાને વારંવાર આવતા અને તેની દુર્દશા જોઈ ખેદ વ્યકત કરતા. પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ ઓલીવટની સૂચનાથી તેની ઉપર એક ઘુમ્મટ બાંધવાને રાયે નિર્ણય લેતાં ઈ. સ. ૧૯૦૦ના જૂન માસમાં કર્નલ સીલીના હાથે તેનું શિલારોપણ કરવામાં આવ્યું અને આ લેખનું વારંવાર વાચન કરતા અને રબીંગ લેતા વિદ્વાનેને ના પાડી શકાય નહિ અને લેખ બગડે તેથી તેની સમીપે તેની પ્રતિકૃતિ પણ કરાવવાનું શરૂ કર્યું પણ તે અપૂર્ણ રહી. કુવારે ઈ. સ. ૧૮૯રમાં દીવાન હરિદાસ વિહારીદાસે, મમ નવાબ બહાદરખાનના સ્મરણાર્થે સ્વખર્ચે, તેના મકબરા સામે એક કુવારે બંધાવી તેને બહાદરખાનજી કુવારે નામ આપ્યું. દામોદર પુલ - દીવાન હરિદાસ વિહારીદાસે, ઈ. સ. ૧૮૮૯માં તેનાં માતુશ્રી હેતાબા તથા પિતાશ્રી વિહારીદાસ ઉફે ભાઉ સાહેબના પુણ્યાર્થે અને તેમની ગિરનાર યાત્રાનું સ્મરણ રહે તે માટે સ્વખર્ચે દામોદર કુંડ પાસે પુલ બંધાવ્યું. ચલણ રાજ્યમાં “કંપની” રૂપિયા ચાલતા છતાં રાજ્યનું ચલણ કેરીનું હતું. રાજ્યની ટંકશાળમાં કેરીઓ છપાતી. ૧૦૦ કેરીની કિંમત સાર્વભૌમ સત્તાના રૂપિયા ૨૩-૨-૨ થતી. એક કેરીના ૩૬ દેકડા થતા. ઈ. સ. ૧૯૦૯માં કેરીના ચલણ માટે કુશંકાઓ થતી તેથી દી. ૬. નં. ૧૯૦૧ તા. ૧૨-૧-૧૯૦૯થી કિરીનું ચલણ કાયદેસરનું છે તેવી જાહેરાત કરવામાં આવી તથા ફરીથી મુકી જા. નં. ૧૪૩૩ તા. ૧૪-૧-૧૯૦૯થી તેવી જ જાહેરાત કરી એક રૂપિયાની ચાર કરી મુકરર કરવામાં આવી. ઈ. સ. ૧૯૦૭ માં નવા દોકડા પાડવાને નિર્ણય લેવાતાં હઝુર ઓફિસ જાવક નં. ૨૯૪/૬૪ તા. ૭-૧૨-૧૯૦૭ના હુકમથી જૂના અને જાડા દેકડા
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy