SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ : જૂનાગઢ અને ગિરનાર તેનું શિલારોપણ કર્યું. તેના અનુગામી લેર્ડ નેલ્થકેટે ઈ. સ. ૧૯૦૧ના ડીસેમ્બર માસની ૫ મી તારીખે આ બન્ને મકાનનું ઉદ્દઘાન કર્યું. આ પુસ્તકાલયમાં, અષ્ટદેણ વાચનાલયમાં અઘતન પદ્ધતિનાં સાધનો અને બહુમૂલ્ય પુસ્તકો વસાવવામાં આવ્યાં. તેના ઉપર વાચકને પૂર્ણ પ્રકાશ આપે તેવું કાચનું સળંગ છાપરૂં પણ કરવામાં આવ્યું. મ્યુઝિયમમાં સ્થાનિક કારીગીરીના નમૂનાઓ ઉપરાંત એતિહાસિક સ્થાને માંથી ઉખનન દ્વારા પ્રાપ્ત થયેલી અને અન્ય ઉપયોગી અને અગત્યની વસ્તુઓ મુકવામાં આવી. તેના પ્રથમ કયુરેકટર તરીકે સુરતના શ્રી સારાભાઈ તુલસીદાસને નીમવામાં આવ્યા.' આજે લાયબ્રેરી છે ત્યાંની ત્યાં જ છે પણ મ્યુઝિયમને સ્થાને જૂનાગઢ રાજ્યના સમયમાં શહેર સુધરાઈની ઓફિસ ફેરવી, મ્યુઝિયમને સક્કરબાગમાં લઈ જવામાં આવ્યું. શહેર સુધરાઇ, સ્વાતંત્ર્ય પછી ફરાસખાનામાં લઈ જવામાં આવતાં, મ્યુઝિયમના મકાનમાં આજે ખાદી ગ્રામોદ્યોગ બેઠની દુકાન તથા રેસ્ટોરન્ટ છે. સુધરાઈ સરકારી અધિકારીઓ દ્વારા સંચાલિત શહેર સુધરાઈ આ સમયે અસ્તિત્વમાં આવી. તેમાં પ્રજાને પ્રતિનિધિત્વ ન હતું. ' પેડેક કાઠી ઓલાદના સારા છેડાઓ ઉછેરવા પેડોકની સ્થાપના કરવામાં આવેલી. તેમાં પાછળથી જૂનાગઢના ડો. મૂળચંદ કેશવલાલ દેસાઈ અશ્વ ઉછેર અને પશુ ચિકિત્સક તરીકે નિમાયેલા. કેકાર-ઘાસવારે જૂના જમાનામાં દુષ્કાળ પ્રસંગે લેકેને અન્ન પૂરું પાડવા અનાજને અને ખાસ કરીને જુવારને સંગ્રહ કરવા ખાણ કરવામાં આવતી તે બંધ થઈ પણ જૂનાગઢમાં આ સમય સુધી કેકાર' અને ધાસના સંગ્રહ માટે ઘાસવાડો' અસ્તિત્વમાં હતા... 1 વિશેષ વિગતે માટે જુઓ પરિશિષ્ઠ,
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy