________________
ર૭૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
આ કોલેજનું મકાન સંપૂર્ણ થાય તે પહેલાં પટાંગણમાં ઝૂંપડી બાંધી તેમાં વર્ગો શરૂ કરવા માં આવેલા. લેજના પ્રથમ પ્રિન્સિપાલ મિ. હેઢેથ હતા તે પછી મિ. સ્કોટ આવ્યા.
આ કોલેજના બાંધકામમાં કુલ ખર્ચ રૂા. ર,૦૩,૫૪૪નો થયો.
પી. એન્ડ એ. કંપનીની પોરબંદરના બારામાં ડૂબી ગયેલી અને ભંગાર થઈ ગયેલી સ્ટીમર દિવને ઘંટ કોલેજમાં મૂકવામાં આવ્યો. હેસ્પિટલ
જૂનાગઢની હેસ્પિટલનું ભવ્ય મકાન બાંધવાનું નક્કી થતાં પંચેશ્વર પાસે પસંદ કરેલા રથાનમાં, ઈ. સ. ૧૮૯૭ના ડિસેમ્બર માસની રજી તારીખે મુંબઈના ગવર્નર લેડ સેન્ડહસ્ટના હાથે તેનું શિલારોપણ થયું. અહીંમકાન બંધાય તે પહેલાં, છપ્પનિયા દુકાળ પડે અને તે પછીના વરસોમાં આવેલી કુદરતી આફતના કારણે, આ કામમાં વિલંબ થયે, દરમ્યાનમાં પંચેશ્વરમાં હેસ્પિટલ થાય તો જનતાને તે દૂર પડે એ પ્રજામત પ્રચલિત થતાં અત્યારે હોસ્પિટલ છે તે સ્થળે નવું મકાન બાંધવાનો નિર્ણય લેવાયો. દરમ્યાન સર અબ્બાસઅલી બેગ દીવાન પદે આવ્યા અને તેણે વર્તમાન શાક બજાર છે અને માર્કેટનું મકાન છે ત્યાં હોસ્પિટલ બાંધવાનું સૂચન કર્યું, પરંતુ જે સ્થળે ગવર્નરે પાયે નાખે છે તેના બદલે અન્યત્ર મકાન બંધાય કે કેમ તે પ્રશ્ન ઉગ્ર બને અને મકાન થઈ શકયું નહિ. હેસ્પિટલ છે ત્યાં એક જૂનું મકાન હતું તેમાં રાખવામાં આવી અને ઈ. સ. ૧૯૧૧માં, નવાબ રસુલખાનજીના મૃત્યુ પછી, બ્રિટિશ એડમિનીસ્ટ્રેટર મિ. એચ. ડી. રેન્ડોલે, વર્તમાન હેસ્પિટલ ત્યાં રસુલખાનજી હોસ્પિટલ તથા તેની સામે જનાના હેસ્પિટલનાં મકાને બાંધ્યાં. પંચેશ્વરમાં લઈ સેન્ડસ્ટે પાયો નાખ્યો તે શિલાલેખ એક મકાનમાં હજી તે પ્રસંગની યાદી આપતા જોવામાં આવે છે.
આ હેપિટલના મુખ્ય અધિકારી પદે ઈ. સ. ૧૮૮૫થી ડો. ત્રિભુવનદાસ મેતીચંદ શાહ હતા. જૂનાગઢના આ સપુત, બહારવટાં દરમ્યાન કાદુ, લેકના
1 કોલેજના પ્રારંભના પ્રથમ વર્ષે ઝુંપડીમાં બેસી ભણનારા વિદ્યાથીઓમાં સદગતું
સાક્ષર શ્રી બાપુભાઈ જાદવરાય વૈષ્ણવની બહાઉદીન કોલેજના સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં સવિશેષ જયેષ્ટ હોવાના કારણે પ્રમુખ સ્થાને વરણી થઈ હતી. તે પછીના વિઘાથી સ્વ. રા. બ. ડો. નરસિંહપ્રસાદ બાપુભાઈ મજમુદાર હતા.