________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ર૭૫
તેનું ખાતમુહૂર્ત ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસની ૨૫મી તારીખે પોલિટિકલ એજન્ટ કર્નલ જે. એમ. હંટરના હાથે થયું અને તેનું ઉદઘાટન હિન્દના વાઈસરોય અને ગવર્નર જનરલ લેડ કર્ઝનના હાથે ઈ. સ. ૧૯૦૦ ના નવેમ્બર માસની ૩ જી તારીખે થયું.
આ કોલેજનું આલીશાન મકાન તૈયાર થવા આવ્યું પણ તેના ઉપર છાપરું કરવાના પ્રશ્નને સ્થપતિઓ અને રાજયના અધિકારીઓ વચ્ચે મતભેદ પડે. આ કોલેજના મધ્યસ્થખંડ ઉપર સો ફીટ લાંબું અને આઠ ફીટ પહોળું છાપરૂં થંભાવલી વગર રહી શકે નહિ તેવો સ્થપતિઓને અભિપ્રાય હતા, જ્યારે નાયબ દીવાન પુરુષોતમરાય ઝાલા અને અન્ય અધિકારીઓ સ્થભાવલી થાય તે આવા સુંદર મકાનની શોભા નષ્ટ થાય તેમ માનતા હતા. આ પ્રશ્ન જૂનાગઢમાં અને જૂનાગઢ બહાર મોટી ચર્ચા ઉપસ્થિત થઈ. મુંબઈના અંગ્રેજી દૈનિક પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અમલદારશાહીના હઠાગ્રહ ઉપર પ્રહારો પણ કર્યા, પરંતુ નાયબ દીવાન શ્રી ઝાલાએ. તેને નિશ્ચય ફેરવ્યું નહિ. તે સમયે રાજ્યના માપણી અધિકારી ભાવનગરના નાગર ગૃહસ્થ શ્રી વેણીશંકર ગોવિંદરાય હતા. તેણે આ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું. જૂનાગઢના નાગર એન્જિનિયર,શ્રી રૂદ્રજી સુંદરજી રાણા, જૂનાગઢના મિસ્ત્રી જેઠા ભગાને આ કાર્ય કરતા ભૂમિતિ અને સ્થાપત્યના સિધ્ધાંતોને સમજ આપી, સમજાવી શકયા, પરિણામે સ્થાની આવશ્યકતા વગર છાપરું થઈ ગયું. તેના ઉપર નળિયાં ચડાવવાનું મુશ્કેલ અને કપરૂં કામ જૂનાગઢના મેવાડા સુતાર શામજી કલ્યાણજીએ કર્યું. તેને પવનના ઝપાટામાં અધર ઉભા રહી નળિયાં ગોઠવતા જોઈ નવાબ રસુલખાને તેને એકથી વધારે ઈનામો પણ આપ્યાં.
કેલેજનું મકાન થઈ ગયું પણ તેમાં સીડીઓ મૂકવી ભુલાઈ ગઈ, તેથી તેની બંને બાજુએ સીડીઓ મૂક્વામાં આવી છે તેવી પ્રચલિત લોકવાયકા છે. એમ પણ કહેવાય છે કે કેલેજમાં જતા આવતા વિદ્યાથીઓને લેકે જોઈ શકે તે માટે સીડીઓ બહાર મૂકી છે. પરંતુ સાચી વાત એ છે કે આ સીડી મધ્યસ્થ ખંડમાં મૂકવાની એજના હતી તે પાછળથી ખંડની વિશાળતા ન બગડે તેથી બહાર મૂકી
1 શ્રી રાજેન્દ્રભાઈ રાણા તથા મહેન્દ્રભાઈ રાણાના પિતાશ્રી. [2 મિસ્ત્રી શામજીના પુત્ર મેરારજી, જુનાગઢ સંઘાડીયા બજારમાં રહે છે.