SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૭૩ ન્યાય ખાતું મુંબઈના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને નિડર નેતા સર ફિરોઝશાહ મહેતાની જૂનાગઢ રાજ્યના ઉપરી પદે નિમણૂક કરવામાં આવી. તેઓ મુંબઈ રહેતા અને અમુક દિવસે જ જૂનાગઢ આવતા. તેમની બેન્ચમાં શ્રી જમિયતરામ નાનાભાઈ તથા શ્રી. (પાછળથી સર) ચિમનલાલ સેતલવડ બેસતા. સદર અદાલતના જજ શ્રી ડોસાભાઈ ખરશેદજી ગાંધી હતા. ન્યાય ખાતાના ઉપરીપદે તે પછી શ્રી ગુલાબદાસ લાલદાસ નાણાવટી અને પાછલાં વર્ષોમાં શ્રી એમ. એ. ફકીડ હતા. કેળવણી ખાતું દેશી રાજ્યનાં કેળવણી ખાતાં, એજન્સીના અંકુશ નીચે હતાં પણ ઈ. સ. ૧૮૯૩માં અંશતઃ અને ઈ. સ. ૧૮૯૯માં રાજપને સંપૂર્ણ રીતે આ ખાતું સેંપી દેવામાં આવ્યું. ઈ. સ. ૧૯૦૫થી રાજપના કેળવણી ખાતાએ સૌરાષ્ટ્ર પ્રાથમિક શાળા પત્રિકા નામનું સામાયિક પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. બજેટ વિશાળ અનુભવવાળા દીવાને હેવા છતાં રાજ્યમાં બજેટ તૈયાર થતું નહિ. ઈ. સ. ૧૮૯૭માં બજેટ કરવાની પદ્ધતિ દાખલ થઈ. ઉતારા ફેરણીમાં જતા અમલદારોને મહાલના મુખ્ય મથકમાં ઉતરવા માટે ઉતારા હતા. સ્થાનિક અમલદારો પણ ઘણીવાર તેમાં રહેતા. ત્યાં દરબારી રસોડાં ચાલતાં. તેમાં ભેજન રાજ્ય તરફથી મળતું અને જ્યાં ઉતારા ન હોય ત્યાં પટિયાં મળતાં. અમલદારોને ભથ્થુ મળતું નહિ. ઈ. સ. ૧૮૯૭માં આ પદ્ધતિને અંત લાવી ભાડા ભથ્થાં પદ્ધતિ દાખલ કરવામાં આવી. સૌરાષ્ટ્ર પિસ્ટ ઈ. સ. ૧૮૬૫માં અસ્તિત્વમાં આવેલી સૌરાષ્ટ્ર પિસ્ટની સંસ્થાને આ સમયમાં વિકસિત કરી અને રૈયતને વિશેષ સગવડ મળે તે માટે મહાલે મહાલે સૌરાષ્ટ્ર 1 ખાતામાં વારંવાર બદલીઓ થતી રહેતી તેથી સર્વેનાં નામો આપવાનું શક્ય નથી. જ. ગિ–૩૫
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy