________________
ર૭૨ : જૂનાગઢ અને ગિરનાર
જાગીરના પ્રકાર - જૂનાગઢ રાજ્યમાં,નવાબના વંશમાંથી ઉતરેલા બાબાઓ ભાયાત કહેવાતા. જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થઈ તે પૂર્વે જેઓ ગીરાસ ધરાવતા તેઓ મૂળ ગીરાસિયા કહેવાતા. તેઓના હક્કો અન્ય જાગીરદારેથી સવિશેષ હતા અને એજન્સીએ તેમને રાજય સામે રક્ષણ આપવાનું સ્વીકારેલું. તેઓ રાજયને જે રકમ ભરતા તે સુધારા વરાડ કહેવાતી. તે પછીની કક્ષા બારખલીદારોની હતી, તેઓને જમીન ઉપર સંપૂર્ણ મહેસુલી અધિકારી હતા, પરંતુ તેમને એજન્સીનું રક્ષણ ન હતું, તેમની જમીને ઉપરની લેત્રીઓ પણ વધારે હતી. અને તે સેટલ સલામી કહેવાતી. બારખલીમાં ચાકરીયાત અને ઈનામી (પસાયતાં) એવા બે પ્રકાર હતા. ચાકરીયાત ઉપર અમુક નેકરી આપવાની ફરજ હતી. સેટલમેટ વખતે આ બારખલીદારો પાસેથી અમુક જમીન કે રોકડ રકમ લઈ નેકરીની માફી આપવામાં આવેલી. ઈનામી જમીન ખાનારાઓ ઉપર કોઈ ફરજ હતી નહિ. તે પછીના વર્ગમાં ધર્માદા બારખલીદારોની જાગીર હતી. જુનાગઢમાં આવાં પચાસથી વિશેષ આખાં ગામ તથા બીજી છુટક જમીન હતી. તેમાં બે પ્રકાર હતા. પ્રથમ પ્રકાર સદાવ્રત ધર્માદાને તથા બીજે પ્રકાર જત ખેરાતને હતા. સદાવ્રત ધર્માદા જાગીરનો વારસો સરકારની મરજી પ્રમાણે ઉતરતો, પરંતુ જે સંપ્રદાય કે ધર્મની જાગીર હોય તે જ સંપ્રદાયમાં અને બનતાં સુધી મરનાર ગાદીપતિના શિષ્યને વારસો આપવામાં આવતો. કેટલાંક ગામો ધર્માદા પ્રકારનાં હતાં તેમના વારસા પ્રસંગે રાજ્ય હસ્તક્ષેપ કરતું નહિ. - જૂનાગઢ રાજ્યનું ક્ષેત્રફળ ૨૦,૦૬,૯૩૩ એકર ૩૧ ગુંઠા હતું. તેમાંથી ૧૪,૧૪,૪૭૫ એકર ૨૫ ગૂઠા ખાલસા અને ૬,૭૨,૪૫૮ એકર પ4 ગુંઠા ભાયાતે મૂલ ગરાસિયા તથા બારખલીદાર હસ્તકની જમીનનું ક્ષેત્રફળ હતું, માંગળ ઉપર મેનેજમેન્ટ
તા. ૨૧-૯-૧૯૦૭ના રોજ માંગરોળના શેખ હુસનમાયાં અપુત્ર ગુજરી જતાં જૂનાગઢ રાજ્ય પેશ્યલ દીવાન શ્રી અરદેશર જમશેદજીને મેનેજર તરીકે નિયુક્ત કરી વહીવટ સ્વાધીને લીધે અને મહૂમ શેખના ભાઈ જહાંગીરમીયાને શેખ તરીકે સ્વીકૃતિ આપી ત્યાં સુધી મેનેજમેન્ટ ચાલુ રહ્યું. નાણાકીય વર્ષ
રાજયનું નાણાંકીય વર્ષ તા. ૧લી સપ્ટેમ્બરથી શરૂ થાય તેવી રાજ્યાશા ઈ. સ. ૧૯૦૭માં પ્રસિદ્ધ થઈ. આ વર્ષને પ્રથમ દિવસ ગુરમહેર કહેવાતો..