________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૭૧
નરભેરામ વૈષ્ણવ, શ્રી ત્રિભોવનરાય દુલેરાય રાણા અને પાછળથી મગનલાલ સુંદરજી કીકાણને નીમવામાં આવ્યા. આ અધિકારીઓને દરબાર એજન્ટના હેદા આપવામાં આવ્યા. કનલ સીલી, ન્યાયપ્રિય અંગ્રેજ અધિકારી છે અને જાગીરદારોને તેમના હક્કો સાબિત કરવા પૂરતી તક આપે છે અને તેમના રૂકાઓનો ઝીણવટથી અભ્યાસ કરે છે તેથી રાજયને મોટું નુકસાન જશે અને જાગીરદારની જમીને પાછી ખેંચી લેવાની ધારણું ફલિભૂત નહિ થાય અને પરિણામે, રાજયને મોટું નુકસાન જશે એવી ભીતિ નાયબ દિવાન પુરુષેતમરાય ઝાલાને થઈ, અને તેણે “ઘરમેળે સમાધાન'ની ફેરચુલા ઊભી કરી. આ રમ્યુલા અવયે વજીર બહાઉદીનભાઈ તથા નાયબ દીવાન શ્રી ઝાલાએ જાગીરદારોને રૂબરૂ બોલાવી, સામ, દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી, ઘણાખરા જાગીરદારોના હકકો લખાવી લીધા અથવા જમીનનાં રાજીનામાં લઈ લીધાં. જેઓ સમાધાનની નીતિને વશ ન થાય તેમના ઉપર મોટી મોટી લેત્રીઓ લાગુ કરી. કર્નલ સીલી કેસોની તારીખો નાખી કેસો ચલાવ્યા કર્યા અને બીજી બાજુથી આ રાજ્ય સ્થંભએ ઘણું જાગીરદારોનું “ઘરમેળે સમાધાન કરી નાખ્યું. જૂના જાગીરદારોની કક્ષામાં શેર કરવામાં આવ્યું, કેટલાં ગામો અને જમીન ખાલસા કરવામાં આવી. તે સાથે કેટલાક કપ પાત્રોને હક્ક ન હેવા છતાં જમીને મળી અને જેમની પાસે હતી તેમને સવિશેષ હકકો મળ્યા.
કર્નલ સીલીએ જ્યારે ૫૬ આખા ગામની ૮૪,૩૪૮ એકર ૭ ગુંઠા જમીન તથા ૩૬,૨૪૮ એકમ ૨૯ ગૂઠા છુટક જમીનનું સેટલમેન્ટ કર્યું ત્યારે “ધરમેળે સમાધાન'ની પદ્ધતિથી વજીર તથા નાયબ દીવાને, ૧૫૦ આખા ગામોની ૨,૩૨૦૬૮ એકર ૨૪ ગુંઠા જમીન તથા ર૭,૫૬૧ એકર ૨૬ ગૂઠા છુટક જમીનનું સેટલમેન્ટ કર્યું.
સેટલમેન્ટ સંપૂર્ણ થતાં જમીન જાગીરના હક્ક, હિસ્સા, વારસા, લેરી વગેરેના નિયમો ઘડવામાં આવ્યા અને જાગીરોની નોંધણીનાં રજીસ્ટર અને સનંદે કે હક્કપત્રકે તૈયાર કરવામાં આવ્યાં.
1 શ્રી ભૂપતરાય ત્રિકમજીના પિતાશ્રી 2 રા. બ. ટી. ડી. રાણું-પાછળથી દીવાન થયા તે. 3 શ્રી મનુભાઈ કીકાણુ તથા શ્રી બળવંતરાય કીકાણીના પિતાશ્રી અને શ્રી હરસુખરાય
કીકાણીના. (રાજકોટવાળા) ના પિતામહ.