SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ : જૂનાગઢ અને ગિરનાર તે પછી સમઢિયાળા ગામે ધીંગાણું થયું, તેમાં નથુ જહાંગીર ભરાઈ ગયો અને ફકીરમહમદે ઝેર પીને આત્મહત્યા કરતાં તેના મૃતદેહને તેના સાથીઓ જામવાળા પાસે ઝાંતરડી નદીમાં નાખી દઈ ભાગતા હતા ત્યાં ગીશ્વ ઓફિસર હરપ્રસાદ ઉદયશંકર દેશાઈને હાથે પકડાઈ ગયા. તેમાં કાળા મદેશ મુખ્ય હતું. આ હરામખોરોને તેણે પ્રાચી મુકામ રાખી પડેલા નાયબ દીવાન પુત્તમરાય સુંદરજી ઝાલા પાસે રજૂ કર્યા અને તે સાથે બહારવટને અંત આવ્યો. એલીએનેશન સેટલમેન્ટ - જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થયા પૂર્વે, હિન્દુ રાજાએ, દિલ્હીના સુલતાને, ગુજરાતના સુલતાને અને મુગલ પાદશાહના સમયથી કેટલાક ગીરદારે જુદા જુદા પ્રકારની જમીનને ઉપભગ લેતા. નવાબેએ પણ ઘણા માણસોને જાગીર આપી હતી, પરંતુ તેનું કેઈ પધ્ધતિસરનું દફતર ન હતું કે તેના વારસા હિસા માટે નિયમો પણ ન હતા. તેથી સમગ્ર જાગીરદારોના હક્કો, પ્રક રે, વિસ્તાર અને ઉધડલેત્રી વગેરેને કાયમ નિકાલ કરવા દીવાન હરિદાસ દેસાઈએ સેટલમેન્ટ કરવા વિચાર્યું, પરંતુ તે કાંઈ સક્રિય કાર્ય કરે તે પહેલાં તે નિવૃત્ત થયા. તેણે આ કાર્ય માટે, મિ. એ. એફ. મેકોનેકી નામના સનંદી અમલદારની નિમણૂક કરેલી. પણ તેને તથા હરિહાસના અનુગામી દીવાન શામજી કૃષ્ણવર્મા વચ્ચે મતભેદ પડતાં આ કાર્ય સ્થગિત થઈ ગયું. શામજી કૃષ્ણવર્મા પાછા જતાં ર. બ. બહેચરદાસ વિહારીદાસ દેશાઈ દીવાનપદે આવ્યા ત્યાં મિ. મેકેનેકી બ્રિટિશ હિન્દમાં પાછી ફર્યા અને તેના સ્થાને સુયોગ્ય વ્યક્તિની નિમણૂક કરવાને પ્રશ્ન ઉપસ્થિત થયે. ઘણું પત્રવ્યવહારને અંતે મુંબઈ સરકારે મહીકાંઠાના પિલિટીકલ એજન્ટ કર્નલ સી. ડબલ્યુ. સીલીની નેકરી જૂનાગઢ રાજને ઈ. સ. ૧૮૯૬ના ડીસેમ્બરમાં ઉછીની આપી અને તેણે ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસમાં તેના સેટલમેન્ટ કમિશનરના હેદાને ચાર્જ સંભાળી કામ શરૂ કર્યું. | સેટલમેન્ટ કમિશનર પાસે રાજ્ય તરફથી કામ ચલાવવા સર્વશ્રી ત્રિકમજી 1 ફકીરમામાના બહારવયની વિગતો માટે જુઓ “પિ તર્પણ-શં. હદેસાઈ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy