SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૬૦ થશે નહિ. આ મંદિર હિન્દી સંધના અજીત સેએ જૂનાગઢને કજો લીધો તેને બીજે દિવસે એટલે તા. ૧૦મી નવેમ્બર ૧૯૪૭ના રોજ ખોલી નાખવામાં આવ્યું, ફકીરમહમદ મકરાણી - ઈશુજના ધીંગાણામાં માર્યા ગયેલા મકરાણી અલીમહમદની બહેન એમના પુત્ર ફકીરમહમદ લશ્કરાન અસામાજિક પ્રવૃત્તિ કરતે. તેણે પ્રભાસપાટણનાં કંકા ડોશી નામનાં ધનિક વૃધ્ધાના ઘરમાં ખાતર પાડતાં આસિ. સુપ્રિ. ઓફ પિોલીસ શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈએ પકડી જેલવાસી કરેલ. ત્યાંથી મુકત થતાં તેણે ઈ. સ. ૧૮૯૫ના ડીસેમ્બરમાં ચોરવાડ પાસેના કડાયા ગામના પટેલ પબાને બાન પકડી મોટી રકમ પડાવી. આ ગુનાસર પકડવા ગયેલી પોલીસ પાર્ટીને તેણે કહેવરાવ્યું કે તે બહારવટે છે. કહેવાય છે કે ફકીરમહમદની મા એમના તથા બહેને છરના અને રહીમાએ તેને રાજય સામે ચડવા ઉશ્કેરણી કરેલી. ફકીર મહમદની ટેળામાં કાદુને ભાણેજે નથુ જહાંગીર અને અલ્લાદાદ જહાંગીર ભળી ગયા. કાળાં સંદેસ નામને મકરાણી, કેટલાક બલેચ અને સંધીઓ પણ જોડાયા અને મેંદરડા સામે બહારવટું ખેડતા ઝિણું મૈયાને તેને સહકાર મળે. " આ બહારવટિયા પાછળ ચિસ્તી મકબુલમીયાં, જુદી-મીયાં, હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ તથા દામોદરદાસ હીરજી જગટ ગીતો ફેરવી તેને ચારેકોરથી ભીડાવ્યો. આ અધિકારીઓના પરિશ્રમથી તેને વિશેષ સમય ટકવાનું મુશ્કેલ બન્યું. એવામાં ગીતે તા. ૫-૪-૧૮૯૬ ના રોજ ધારી પાસે કરમદડી ગામે બહારવટીઆઓને આંતરી ધીંગાણું કર્યું તેમાં ગીસ્તને સવાર ગજસિંહ કહાનસિંહ મરાઈ ગયો અને ગીતે બહારવટિયા ટોળીના તેથી તથા ગજને ઠાર કર્યા. 1 પાછળથી અલ્લાદાદ પકડાઈ જતાં સજા થઇ હતી પણ રાજ્ય માછી આપી તેની પોલીસ ખાતામાં નિમણુક કરેલી 2 દામોદરદાસ હીરજી જગડ જુનાગઢ રાજ્યમાં આસિ. સુપ્રિ. ઓફ પિોલીસ હતા. તેમણે દીર્ધકાળ પર્યત જુનાગઢ રાજ્યમાં ઊંચા પદ ઉપર નોકરી કરી. નિવૃત્ત થયા પછી પન્ના સ્ટેટમાં પોલીસ સુપિ હતા. ત્યાં ચંબલ ખીણના ડાકુઓ સામે છેડા ઉપાડી ધીંગાણાઓ કરી ડાકુઓને પાપિત કરેલા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy