SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ : જૂનાગઢ અને ગિરનાર ઈ. સ. ૧૮૯૬માં બને કેમો વચ્ચે કાયમી કડવાશ દૂર થાય તેવા હેતુથી પ્રભાસપાટણના હિન્દુ અગ્રેસર આચાર્ય રણછોડ વિષ્ણુ તથા સૈયદ જનામીયાં અકબરીયાંના પ્રયાસથી એક સમાધાન થયું. રાયે આ સમાધાન, દીવાન દફતર જાવક નંબર ૧૫૪૦ તારીખ ર૯-૪-૧૮૯૬ થી મંજૂર રાખ્યું. તે અન્વયે સજા ભોગવતા અઢારે આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા અને સમાધાનને મૂર્ત સ્વરૂપ આપવા માટે ઈ. સ. ૧૮૯૬ ના એપ્રિલ માસની ૩૦ મી તારીખે, વજીર બહાઉદ્દીનભાઈ, નાયબ દીવાન પુરુષેતમરાય ઝાલા, પેશ્યલ દિવાન બેજનજી મેરવાનજી, ગાંડલ દીવાન શ્રી તરખડ વગેરેની ઉપસ્થિતિમાં પ્રભાસપાટણ મુકામે એક સભા ભરવામાં આવી ' આ હત્યાકાંડ અને તે પછીના પ્રસંગોમાં જુનાગઢના પ્રતિષ્ઠિત, ધર્માનુરાગી અને સેવાભાવી વકીલ જટાશંકર જીવણજી છાયાએ, પ્રજાની અપૂર્વ સેવા કરી રાજ્ય અને પ્રજાની પ્રીતિ મેળવી. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આ પ્રસંગે દેહત્સર્ગ ઘાટ ઉપર આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને હુલ્લડખોરોએ નુકસાન કરેલું, તેથી તેને પુનરેદ્ધાર કરવામાં આવ્યું. તેનું શિલારોપણ વજીર બહાઉદ્દીનભાઈને હાથે થયું અને રાજ્ય તે મંદિર નવેસરથી બાંધવા. દીવાન દફતર જાવક નંબર ૨૮૧૫ તારીખ ૧૪-૮-૧૮૯૭થી મંજૂરી પણ આપી. આ મંદિર બંધાઈ ગયું અને જ્યારે પ્રતિષ્ઠા ઉત્સવ ચાલતા હતા ત્યારે તારીખ ૪-૩-૧૯૦૭ના રોજ પ્રભાસપાટણના મેજીસ્ટ્રેટ શ્રી અનંતરાય નાનાલાલે તે, કામ ન કરવા મનાઈ હુકમ આપ્યો અને ઉત્સવ બંધ કરાવ્યા. આ હુકમ શા માટે કરવામાં આવ્યો છે તેના કારણે પણ દર્શાવવામાં ન આવ્યાં. - ઈ. સ. ૧૯૦૭થી ઈ. સ. ૧૯૪૭ સુધી અવિરત પણે હિંદુ આગેવાને તેના માટે અરજ અહેવાલ કરતા રહ્યા પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. દીવાન સર પેટ્રિક કેટલે અમુક શર્તે તે સેપવા આજ્ઞા કરેલી પણ તેને અમલ [1 આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિ અને એખલાસ પ્રસ્થાપિત કરવા હિંદુ ન હોય કે મુસલમાન ન હોય તેવા અધિકારીને પ્રભાસમાં મૂકવા નિર્ણય લેવાયો. તે પ્રમાણે શ્રી પી. ઝેડ. વાઝ નામના ક્રિશ્ચિયન ગૃહસ્થની ત્યાં નિમણુક થઈ, પરંતુ તે થોડા જ દિવસોમાં ચાલ્યા ગયા તેથી રાજ્ય પ્રભાસપાટણના વતની શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈની ત્યાં વિશેષ સત્તાઓ સાથે આસિ. પોલીસ સુપ્રિ. તરીકે નિમણુક કરી. તેણે શાંતિ અને સલામતી પુનઃ સ્થાપી બન્ને કોમો વચ્ચેના સમાધાનની ભૂમિકા તૈયાર કરી. જુઓ “પ્રભાસ અને સોમનાથ” શંહ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy