________________
૨૬૪ : જૂનાગઢ અને ગિરનાર
હતા તેણે ફરીથી નવાબ બહાદરખાનના મરણુ વખતે દાવા આગળ ધર્યાં પણ આ પ્રસંગે પણ બ્રિટિશ સત્તાએ તે સ્વીકાર્યા નહિ.
મહાબતખાનનાં છેટીજી નામનાં એક બેગમ હતાં. તેના કુ"વર એદલખાન, રાજકાટની રાજકુમાર કાલેજમાં ભણ્યા હતા અને નવાબ મહાબતખાન અને બહાદરખાન સાથે કેમ જાણે તે તેના અનુગામી થવાના હોય તેમ દરબાગ અને એજન્સીની કચેરીમાં જતા અગ્રેજ અધિકારીએ સાથે તેને ઘાટા સંબંધ હતા અને તેથી જ્યારે બહાદરખાનજી અપુત્ર ગુજરી ગયા ત્યારે તેના વારસ તરીકે આગળ આવ્યા અને સત્તાધીશ અંગ્રેજ અમલદારાએ તેને જૂનાગઢના નવાબ તરીકે સ્વીકારવાના નિષ્ણુય લીધા.
મમ નવાબનાં નુરજ્જુ નામનાં એક બીજા પત્ની હતાં. રસુલખાન તેના પુત્ર હતા. તે સંસારી હેાવા છતાં વિરક્ત જેવા હતા. તેનેા સમગ્ર સમય સહતા, ફકીરા અને સાધુના સત્સંગમાં જતા. તેઓ બહુધા જમાલવાડી નામના સ્થાનમાં પીરની દરગાહ છે ત્યાં રહેતા અને તેમને જે છવાઇ મળતી તેના ખેરાતમાં વ્યય કરી નાખતા. તેમના અભ્યાસ પશુ નહિવત્ હતા છતાં તેની સાદાઈ, ગૃહસ્થાઈ, અમીરાત અને સખી સ્વભાવથી તે અતિશય લોકપ્રિય અને આદરણીય રાજકુવર હતા. તેમના જન્મ તા ૩૦-૭-૧૮૫૮ના રાજ થયા હતા.
એદલખાનના જન્મ તા. ૨૪-૧૧-૧૮૬૫ના રાજ થયા હતા. તેથી રસુલખાન વયમાં તેનાથી મેાટા હતા છતાં રાજગાદી એદલખાનને મળે તે જૂત:ગઢના મુત્સદ્દી, ભાયાતા અને અગ્રેસરને યોગ્ય લાગ્યું નહિ, તથી વજીર શેખ બહાઉદ્દીનભાઈ, નાયબ દીવાન પુરુષોતમરાય સુંદરજી ઝાલા અને અન્ય અમીરાએ, રસુલખાનજી જયેષ્ટ છે અને તેને એક પુત્ર છે તેમ કહી તેને ગાદીતરિાન કરવાના નિણ ય લીધે અને તેને અમલી પણુ બનાવ્યા.
આ કૃત્યથી જૂનાગઢમાં ગાદી વારસના પ્રને મેાટા વિવાદ ઉપસ્થિત થયા, પક્ષ્ા બધાયા અને એજન્સી અધિકારીઓને આ પ્રશ્નના ઉકેલ માટે માટી મૂંઝવણ થઈ.
તાત્કાલિન પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ એલીવન્ટને એજન્સીની સ્પષ્ટ સન્મતિ વગર રસુલખ'નને ગાદીએ બેસાડી દેવાનું કૃત્ય અયાગ્ય જણાયું તેથી તેણે દીવાન હરિદાસ વિહારીદાસને રાજકુટુંબની અને રાજની તમામ મિલકતો જપ્તીમાં લઈ રાજયના વહીવટ એજન્સી વતી ચલાવવા આજ્ઞ આપી સર ચાર્લ્સ એલીવન્ટે એવા મુદ્દો ઉપસ્થિત કર્યાં કે રસુલખાન રાજપુત્ર