________________
બાબી વંશ–ઉત્તરાર્ધ : ૨૬૩
વજીર બહાઉદ્દીનભાઈ
વજીર શેખ બહાઉદ્દીનભાઈએ રાજીનામું આપ્યું, પરંતુ નવાબ બહાદુર ખાને તારીખ ૨૮-૫-૧૮૯૧ના ફરમાનથી તે નામંજૂર કર્યું. નવાબ બહાદરખાન
નવાબ બહાદરખાને, અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજી બોલી શકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિની તેના ઉપર અસર હતી. તેની રહેણીકહેણી પર્વાત્ય પદ્ધતિની હતી.
તેમનાં લગ્ન તેમના પિતાની હયાતીમાં થયેલાં. પ્રથમ લગ્ન બાટવાના બાબી શેરબુલંદખાનનાં પુત્રી ઉમરાવબખ્ત સાથે ઈ. સ. ૧૮૭૩માં અને બીજો લગ્ન રાણપુરના બાબી જવામર્દખાનની પુત્રી અમીરબખ્ત સાથે તે જ વર્ષમાં થયેલાં. ઈ. સ. ૧૮૭૫માં તેમનાં ત્રીજું લગ્ન વાડાસિનોરના બાબી મનવરખાનની પુત્રી લાલબતે સાથે અને ચોથાં લગ્ન ધ્રાંગધ્રાના ગામ માલવણના પંજાજી ઝાલાની પુત્રી રૂપાળીબાઈ સાથે તથા પાંચમા લગ્ન ઈ. સ. ૧૮૯૧માં ધોળકાના કસબાતી હયાતખાનનાં પુત્રી સરદારબખ્ત સાથે થયેલાં. તેમાંથી કેઈને કાંઈ સંતતિ હતી નહિ.
નવાબ બહાદરખાનને શાહપુરમાં રહેવાનું બહુ પસંદ હતું, તેથી તેણે ત્યાં બહાદરબાગ તથા બંગલે બનાવ્યો અને રેલવે લાઈન પણ વંથળી પાસેથી ન લઈ જતાં શાહપુર પાસેથી લઈ ગયા. તેઓ સ્વભાવે રંગીલા અને મોજી હતા. - બ્રિટિશ સરકારે તેમને ઈ. સ. ૧૮૯૦માં જી. સી. આઈ. ઈ. ને ખિતાબ આપે. નવાબ બહાદરખાનનું મૃત્યુ
તેઓ ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૧મી તારીખે અપુત્ર ગુજરી ગયા. ગાદીના વારસે
નવાબ બહાદરખાન અપુત્ર ગુજરી જતાં ગાદી કોને મળે તે પ્રશ્ન ઉપસ્થિત થયે. તેનાથી નાના ભાઈ રસુલખાન હતા અને તેનાથી નાના એદલખાન હતા.
મમ નવાબ મહાબતખાનનાં પ્રથમ બેગમના પુત્ર અહમદખાનને દા મહાબતખાનની હયાતીમાં જ નામંજુર થયો હતો. બહાદરખાનજી ગાદીએ આવ્યા ત્યારે પણ તેણે તેને દાવ આગળ કરતાં ફરીવાર તે રદ કરવામાં આવ્યો