________________
ર૬૨ ઃ જૂનાગઢ અને ગિરનાર આપ્યું. ડે. ત્રિભોવનદાસ શાહે પ્લાસ્ટીક સર્જરીની શોધ કરી જગતભરમાં નામના પ્રાપ્ત કરી. - ડોકટર નરોતમદાસ ઈદ્રજી વૈશ્નવ કે જે ગનુભાઈન્મ લેકપ્રિય નામે પ્રખ્યાત છે; તેમણે ઈ. સ. ૧૮૮૭માં માત્ર ૨૨ વર્ષની વયે મુંબઈની ગ્રાન્ટ મેડીકલ કોલેજમાંથી ડમી મેળવી અને જે સમયે સમુદ્રયાન કરવાની જ્ઞાતિને પ્રતિબંધ હતા ત્યારે ઈગ્લાંડ જઈ રહામ યુનિવર્સિટીમાંથી એમ. બી. બી. એસ.ની ઉપાધિ મેળવી. જૂનાગઢ રાયે જુદી ડીસ્પેન્સરીની સ્થાપના કરી તેમને ત્યાં નિયુક્ત કર્યા. આજ પણ ઉપરકેટ ડીસ્પેન્સરી ગનુભાઈના દવાખાના તરીકે ઓળખાય છે. એ સમયે સૌરાષ્ટ્રમાં લેબોરેટરી ન હતી ત્યારે રાજ્યના પ્રોત્સાહનથી તેઓ ઈ. સ. ૧૮૯૭માં મુંબઈ તથા આગ્રા ગયા અને ત્યાં તાલીમ લઈ જૂનાગઢમાં પ્રથમ કેમીકલ લેબોરેટરી સ્થાપી ઇ. સ. ૧૮૯૮માં કુતિયાણામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તેમણે રસી બનાવી, કરનટાઈનની પ્રથા પ્રથમ વાર અપનાવી લેગને નાબૂદ કર્યો. કમભાગે તે ઈ. સ. ૧૯૦૦માં માત્ર ૩૫ વર્ષની વયે પરલેકવાસી થયા.. કુદરતી આફતે
તા. ૨૨-૬-૧૮૮૪ના રોજ જૂનાગઢ અને ગિરનાર ઉપર અતિ ભારે વૃષ્ટિ થઈ. વીજળી અને કડાકા ધડાકાએ માઝા મૂકી. ગિરનાર ઉપરના અંબાજીના મંદિર ઉપર તથા માંડવી ચોકમાં મસીદના મિનારા ઉપર વીજળી પડી. માંડવી ચોકમાં ચાર વ્યકિતઓનાં મૃત્યુ થયાં અને કાળવાના ચોકમાં છાતીપુર પાણી ચાલ્યું. એક રાતમાં ૧૩ ઈંચ પાણ પડતાં ઘણું ખરાબી થઈ.2 સ્વામી વિવેકાનંદ-એની બેસન્ટ
દીવાન હરિદાસ વિહારીદાસ, ફરાસખાનામાં રહેતા ત્યારે જગત પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ ઈ. સ. ૧૮૯૨માં જૂનાગઢ આવેલા અને તેમને ત્યાં ઉતરેલા પ્રસિદ્ધ દેશભક્ત આંગ્લ મહિલા મિસીસ એની બીસાન્ટ પણ જૂનાગઢ આવેલાં.
1 ડે. નરેતમદાસ વૈશ્નવનું જીવનચરિત્ર. શ્રી કીર્તિકુમાર હેગ્નનવ. 2 સૌરાષ્ટ્ર દર્પણ-જુલાઈ ૧૮૮૪, 3 એમ કહેવાય છે કે તે પ્રથમ કાળવાને કાંઠે પ્રકાશપુરીમાં ઉતરેલા. ત્યાંથી દીવાન હરિદાસ તેમને પોતાને ત્યાં લઈ ગયેલા.
વિવેકાનંદજીની પ્રતિમાની પ્રતિષ્ઠા દાતાર રોડ ઉપર તા. ૧૫-૮-૧૯૭૫ના રોજ થઈ