________________
ભાખી વંશ–ઉત્તરાર્ધ ઃ ૨૬૧
ઉપદેશ વિચારી તથા કવિ નમદાશંકર લાલશંકર અને કરસનદાસ મૂળજી જેવા સુધારકેનાં વ્યાખ્યાના વાંચી આ સમયે જૂનાગઢમાં એક સુધારક માઁડળ અસ્તિત્વમાં આવેલું. આ મંડળમાં સ`શ્રી પ્રતાપરાય વસંતરાય સૌરાષ્ટ્રકર, રૂદ્રજી સુંદરજી રાણા, મથુરાદાસ અમૃતલાલ વસાવા', અંબારામ સુંદરજી છાયા, ત્ર્યંબકરાય મજમુદાર, બાપુભાઈ મજમુદાર, દામેાદરદાસ હીરજી જગઢ, ગિરનારા બ્રાહ્મણ અંબાશંકર વલ્લભજી, પ્રભાસપાટણના હરપ્રસાદ ઉદયશ કર દેશાઈ વગેરે યુવાના હતા. શ્રી પ્રતાપરાયે, દેશભક્તિના અને ધામિર્માંક અંધશ્રધા વિરૂદ્ધનાં કાવ્યો અને નાટકો રચ્યાં. શ્રી મથુરાદાસ અમૃતલાલ વસાવડાએ વેદધમ નાં મૂળ તત્ત્વ! અને સિદ્ધાંતાના બેાધ તના માસિક વૈદ ધમ પ્રકાશ દ્વારા આપ્યા. હરપ્રસાદ ઉદયશ કર દેશાઈએ પ્રભાસપાટણમાં પ્રભાસ આર્યાદ્ઘ ક સભા સ્થાપેલી. તએ વાર વાર જૂનાગઢ આવી, વેદધમ અને પૌરાણિક ધમ' ઉપર ભાષા આપતા. શ્રી રૂદ્રજી સુંદરજી રાણાએ તે સમયે જ્ઞાતિમાં અને સમાજમાં પ્રવેશેલી કુરૂઢીઓ અને કુરિવાજો સામે, લેખા, સંવાદો, નાટકા અને વાર્તા લખી વડીલોના વિરાધ વહોરી લઈને પણ તેણે જનતાને સાચી દેારવણી આપી.
આ ઉપરાંત જૂનાગઢના વેદમૂતિ વારા જટાશંકર હરજીવન, પાઠક ગારાભાઈ રામજી, ભાનુશ’કર રણછેડજી (ઉત્તરકાળમાં સ્વામી ભાસ્કરાનંદજી,) છેોટાલાલ જાદવરાય મજમુદાર વગેરે સંસ્કૃતના પ્રકાંડ પંડિતા તથા જીવાભાઈ કીકાણી, આણુંદલાલ વ્રુજદાસ વસાવડા, નભુભાઈ દયાળજી, જયાશંકર જટાશંકર છકાર વગેરે કવિ અને લેખકા આ સુવર્ણ યુગની નામાકિત વ્યકિતએ તરીકે ઉલ્લેખનીય છે.
ડોક્ટરો
જૂનાગઢ રાજ્યના વૈજ્કીય ખાતાના મુખ્ય પદે વર્ષો સુધી રહેલા ડેા. ત્રિભાવનદાસ મેાતીચંદ શાહે તેમની ફરજ બજાવવા ઉપરાંત તે કાળે પ્રવત તી કેટલીક રૂઢિઓ અને માન્યતાઓ સામે આરેાગ્યશાસ્ત્રની દૃષ્ટિએ લેખા અને પુસ્તકા લખી તે સમયમાં જે વિચારા હજી જનમ્યા ન હતા તેનું પ્રાને જ્ઞાન
1 આ સમયના કવિએ લેખકા વગેરેની નામાવલિ બહુ મોટી થાય છે, તે સના જીવન કે કવનની નોંધ વિસ્તાર ભયે લેવાનું શક્ય નથી, તે જુનાગઢના સાંસ્કૃતિક ઇતિહાસના વિષય છે અને તે જ્યારે લખાશે ત્યારે સર્વેની નેાંધ લેવામાં આવશે, તેમ છતાં કોઇ ઉલ્લેખનીય વ્યક્તિને નિર્દેરા કરવાનું રહી જતુ હોય તેા સંબંધકર્તા વાચક મને સૂચન કરવા કૃપા કરે અને તે ક્ષતિ માટે માફ કરે. લેખક,