SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ : જૂનાગઢ અને ગિરનાર વૈષ્ણવ જન્મ જૂનાગઢમાં ઈ. સ. ૧૮૬૧ માં થયે હતા. તેના પિતામહ કહાનજી બક્ષીના નામે ઓળખાતા. એ સમયમાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતે. ઈસ. ૧૮૭૯માં તેમણે તેની પ્રથમ કૃતિ “હિમ્મત વિજય’ નાટક રચી. તે પછી. “જોરાવર વિનોદ, નાટક લખ્યું. “યાત્રા વિલાસ' નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક અને “રાણકદેવી,’ ‘ત્રિદંપતી,” “વિદ્યાલમ' નામની નવલકથાઓ લખી. પરંતુ સર્વથી શ્રેષ્ઠ કૃતિ તેમનું પદ્ય મહાભારત છે, જેમાં તેની કવિત્વ શક્તિને પરિચય થાય છે. શ્રી અનંતપ્રસાદ, રામાનુજ સંપ્રદાયના અનુયાયી હતા અને દક્ષિણ ભારતમાં વારંવાર જતા. તેઓ રાધનપુર સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર હતા. નિવૃત્ત થઈ તેમણે ધર્મ પ્રચારનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. તે પ્રવાસ અંતર્ગત ઈ. સ. ૧૯૫૭માં તેમનું અવસાન થયું. મનહર સ્વામી ઈ. સ. ૧૮૩૮માં ભાવનગરમાં સસ્ત દીક્ષા લઈ ત્યાં જ વસી જનાર મનહર સચ્ચિદાનંદ સ્વામી, જૂનાગઢના નાગર ગૃહસ્થ હતા. તેના મામા વસાવડના પ્રસિદ્ધ કવિ કાલીદાસે ધ્રુવાખ્યાન આદિ આખ્યાને લખ્યાં તેની મનહર ઉપર છાપ હતી. એમને જન્મ ઈ. સ. ૧૭૮૮માં થયો હતો અને સંસ્કૃત, વૃજ અને ગુજરાતી ભાષા ઉપરનું તેનું પ્રભુત્વ જોઈ ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝાએ તેમને ભાવનગર બેલાવેલા અને તેણે ત્યાં રહી “મનહર' અને “સચ્ચિદાનંદ' નામથી સુંદર પદ રચ્યાં છે. આદિત્યરામ વ્યાસ - ઈ. સ. ૧૮૫૧ થી જામનગરમાં વસવાટ કરી ગોસ્વામી વ્રજરત્નલાલજી કે વ્રજનાથજી મહારાજની હવેલીમાં રહેતા પ્રસિદ્ધ સંગીતાચાર્ય આદિત્યરામ વ્યાસ જૂનાગઢના પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં જન્મેલા તેમના સંગીત ઉપરના અભુત સ્વામીત્વથી તે તત્કાલિન સંગીત શાસ્ત્રીઓનાં શિરમોડ ગણાયા હતા. તેમના પિતા વૈકુંઠરામ શાસ્ત્રી પ્રખર વિદ્વાન હતા. તેણે આદિત્યરામને શાસ્ત્રો અને પુરાણે શિખવેલાં અને નવાબના દરબારી ગાયક, ઉસ્તાદ અનુખાન પાસે તેમણે સંગીતનું જ્ઞાન મેળવેલું. તેમને નવાબની કચેરીમાં પણ અગ્રસ્થાન મળેલું પરંતુ જામનગરની હવેલીના મહારાજશ્રી યાત્રામાં મળી જતાં તેના આગ્રહથી તેઓ જામનગર ગયા. વિ. સ. ૧૯૩૭ ના મહા સુદ ૧૪ ના રોજ તેમનો દેહાન્ત . સુધારકે પ્રખર વિદ્વાન અને વેદધારક મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીને સદ્
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy