________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૯ યુવાને જોતજોતામાં જૂનાગઢના સાંસ્કૃતિ ક્ષેત્રમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. તેણે ઈસ. ૧૮૮માં જૂનાગઢમાં અવેતન કલાકારોને એકત્ર કરી, સ્વરચિત રાણકદેવી-રા'ખેંગારનું નાટક, વડીલોના વાંધા અને વિરોધ વચ્ચે ભજવ્યું. શ્રીરંગધર મૂળશંકર માંકડ નામના કવિ મિત્રના સહગ અને સહકારથી તેમજ શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા જેવા પ્રખર રાજપુરુષના ઉત્તેજનથી તેણે જૂનાગઢમાં સાહિત્ય પ્રવૃત્તિ વિકસાવી નવાબ મહાબતખાનજી ગુજરી ગયા ત્યારે મહાબત વિરહનું દીર્ઘ કાવ્ય લખ્યું. થોડાં વર્ષો પછી તેઓ કવિ કલાપીના કવિ દરબારમાં સ્થાન પામ્યા અને સંચિત ઉપનામથી કાવ્યો લખતા થયા. તે પછી તે બગસરા, પોરબંદર વગેરે તાલુકાઓ અને રાજ્યોમાં સલાહકાર પદે રહ્યા અને માત્ર હૈયા ઉકલતથી યાંત્રિક કૃષિ પધ્ધતિનું જ્ઞાન સાધ્ય કરી બેરિંગ નિષ્ણાંત થયા. ઉત્તરાવસ્થામાં તે મોરબી મહારાજા લખધીરજી પાસે રહેતા અને ઈ. સ. ૧૯૩૨માં ગુજરી ગયા. પંડિત ગદુલાલ
મૂળ વારાણસીના વાસી પરંતુ જૂનાગઢ આવી વસેલા એક તેલંગી બ્રાહ્મણને ત્યાં વિ. સ ૧૮૦૧ના પિોષ વદી ૧૨ ના રોજ આ વિભૂતિને જન્મ થયું. તેમનું મૂળ નામ ગોવર્ધન હતું. બાલ્યવયમાં અદ્દભુત પ્રતિભા બતાવી માતાપિતા અને શિક્ષકે ને આશ્ચર્યચક્તિ કરનાર આ બાળકની આ શીતળાના રોગમાં નવ વર્ષની વયે સદાને માટે ચાલી ગઈ, પણ પ્રજ્ઞાચક્ષુ પંડિત ગટુલાલે માત્ર ચૌદ વર્ષની વયે, યમુનાલહરી, રૂકમણી ચંપૂ, ચિંતામણિ, મારૂત શક્તિ વગેરે ગ્રંથ લખ્યા અને લક્ષમણગિરિના પ્રશ્નોનું સન્સિધાંત માર્તડ નામે ખંડન લખ્યું. તેમને જોધપુર મહારાજની કચેરીમાં કંસવધનું શીધ્ર સંસ્કૃત કાવ્ય રચતાં, શીઘ્રકવિની ઉપાધિ મળી. તેઓએ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી કાવ્યો લખ્યાં છે તેને સંગ્રહ “સુભાષિત લડરી' નામથી જાણીતા છે. તેઓ સંગીતકાર, વક્તા, શતાવધાની અને ગણિતશાસ્ત્રી હતા. તેઓ પુષ્ટિમાર્ગીય હતા અને બહુધા મુંબઈમાં રહેતા. તેમને ભારત ધર્મ મહામંડલે ભારત માર્તડની પદવી આપી બહુમાન કરેલું. તેમનું વિ. સ. ૧૯૫૪ ના માર્ગશીર્ષ શુકલ અષ્ટમીના રોજ અવસાન થયું. શ્રી અનંતપ્રસાદ વૈષ્ણવ
પરબત મહેતાના વંશમાં, વૈષણવ કુળમાં શ્રી અનંતપ્રસાદ ત્રિકમરાય
1 સદુપદેશ માર્તડ-વિદ્યા વિલાસ પરિષદૂ-જનાગઢ. ના આબારે.