________________
૨૫૮ : જૂનાગઢ અને ગિરનાર
અંતે તેમને જ અભિપ્રાય સર્વસ્વીકૃત થયો હતે." આચાર્ય વલ્લભજી હરિદત
આચાર્ય વલભજી હરિદત્તને જન્મ ઈ. સ. ૧૮૯૬માં જૂનાગઢમાં થયો હતા. તે સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન, ઈતિહાસકાર અને પુરાતત્ત્વવિદ્ હતા. તેઓએ અનેક શિલાલેખો, મૂતિઓ, તામ્રપત્રો વગેરે શોધી કાઢી આ પ્રદેશના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાડ્યો છેઈતિહાસનું સંશોધન કરતા વિદ્વાનો માટે તેણે પાડેલી કેડી ઉપર ચાલી અનેક વિદ્વાને આગળ વધ્યા છે. કીતિ" કૌમુદી, નિઘંટુંકોષ, પ્રબોધ ચંદ્રોદય, રામાયણને સમલકી અનુવાદ અને સંસ્કૃત સાહિત્યના અન્ય ગ્રંથમાં તેણે વિદ્વતાપૂર્ણ ભાષાંતર કર્યા છે. વર્તમાન જૂનાગઢ મ્યુઝિયમની સ્થાપનાને યશ પણ તેને ફાળે જાય છે. શ્રી વલભજી ઈ. સ. ૧૮૮૮માં રાજ કેટ બિલી મ્યુઝિયમન અને ઈ. સ. ૧૮૯૨માં ટસન મ્યુઝિયમના કયુરેકટર હતા. તેમને દેહાંત તા. ૭-૧-૧૯૧૧ના રોજ થ.
તેમના પુત્ર સ્વ. ગિરજાશંકર આચાર્ય મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના કયુરેટર હતા. તેમણે ગુજરાતના શિલાલેખ, ભાષાંતર અને ટિકા સાથે પ્રસિદ્ધ કરી ઈતિહાસ વિદ્વાન ઉપર ઉપકાર કર્યો છે. ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ
શ્રી ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ, જૂનાગઢના બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર દેશને ઈતિહાસ લખે તથા વેકર રિપેટનું ભાષાંતર કર્યું. તેણે તથા શ્રી કૃપાશંકર ઉમિયાશંકર વસાવડાએ ઈતિહાસના ક્ષેત્રમાં પુષ્કળ સંશોધન અને સંકલન કરી જૂનાગઢને અગત્યનું સ્થાન અપાવ્યું છે. શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા
જૂનાગઢમાં બાલુભાઈના નામથી જાણીતા શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા, જૂનાગઢ પ્રિન્ટીંગ પ્રેસમાં માત્ર સોળ વર્ષની કુમળી વયે નોકરી અર્થે આવ્યા. ડી કેળવણી લીધી હેવા છતાં બુદ્ધિ અને પ્રતિભા, કામ અને વાચનથી આ
1 માહિતી. શ્રી શંભુપ્રસાદ હરિદત જેશી. 2 વલ્લભજી આચાર્યો લખેલા અનેક લેખો ઉપરાંત ૨૪ જેટલી મૌલિક કૃતિઓ કે ભાષાંતરે
ગદ્ય તેમજ પદ્યમાં લખ્યાં છે. સાચી.... એપ્રિલ-જૂન ૧૯૮૫ શ્રી જયેન્દ્ર નાણાવટી