SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૫૭ ભલામણથી તેમને ભારતના જુદા જુદા સ્થળે જવા સંશોધન અર્થે મોકલવામાં આવ્યા.1 ઈ. સ. ૧૮૭૭માં તેઓ રોયલ એશિયાટિક સોસાયટીના માનદ સભ્ય તરીકે ચૂંટાયા. ઈ. સ. ૧૮૮૩માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો થયા. ઈ. સ. ૧૮૮૩માં નેધરલેન્ડઝની રોયલ ઈન્સ્ટીટયુટે શબ્દશાસ્ત્ર, ભૂગોળવિદ્યા તથા માનવશરીશાસ્ત્ર વિભાગના માનદ સભ્ય (રેન મેમ્બર) બનાવ્યા. ઈ. સ. ૧૮૮૪માં તેમને જર્મનીની લીડન યુનિવર્સિટીએ પી એચ. ડી. ની માનદ પદવી આપી. આ મહાન વિદ્વાનને ઈ. સ. ૧૮૮૪ના માર્ચની ૧૮મી તારીખે દેહાન્ત થયો. અન્ય પંડિત ભગવાનલાલના ભાઈએ રઘુનાથજી ઈદ્રજી ઉર્ફ ક્તા ભટ અને કરૂણાશંકર ઈદ્રજી પણ પ્રખર વિદ્વાન હતા. તેમણે જમીન વિદ્વાન ડે. બુહરને વેદના જટિલ શબ્દ પ્રયોગોના અર્થો સમજાવેલા. રઘુનાથજીએ આયુર્વેદને “નિઘંટું સંગ્રહ’ નામનો ગ્રંથ લખી અમર નામના મેળવી છે. તેઓ સંસ્કૃત અને ગુજરાતીમાં શીઘ્ર કવિતા રચતા. આ સમયમાં કાશીનાથ કમલાકર જોશી પણ જૂનાગઢમાં એક બહુ માન્ય તિષી થઈ ગયા. તેમને જન્મ ઈ. સ. ૧૮૧૬માં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હત અને ઈ. સ. ૧૯૦૬માં તે સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર હરિદત્ત પણ પિતા જેવાજ પ્રકાંડ પંડિત અને જ્યોતિષવિદ્દ હતા. ઈ. સ. ૧૯૦૫માં લોકમાન્ય બાલગંગાધર તિલકે મુંબઈમાં બોલાવેલી તિષશાસ્ત્રીઓની પંચાગ શંશોધન સભાની પરિષદમાં તેણે તા. ૨-૧-૧૯૦૫ના રોજ સ્ટાન્ડર્ડ ટાઈમ કયાં હોઈ શકે તે અને તેનાં વક્તવ્યથી સર્વે વિદ્વાનોને પ્રભાવિત કરેલા અને 1 તેમણે ભારતના જુદા જુદા નગરમાંથી તેના પ્રવાસનાં વર્ણને તથા અવલોકનના નિવેદને નવાબને મોકલ્યાં છે. “સૌરાષ્ટ્ર દર્પણ”-જુલાઈ ૧૮૭ર થી જાન્યુઆરી ૧૮૭૪ સુધીના અંકે. તા. ૨૬-૨-૧૮૯હ્ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જે. એમ. કેમ્પબેલે લખ્યું કે વસઈ પાસે પારામાં તેણે તથા ભગવાનલાલે સફળ ઉત્પનત કરેલું ત્યારે તેણે ગિરનાર પાસે એક રીં જોયો હતો તે વાત કરેલી તે ગુજરી ગયા પછી ત્યાં ઉપન્ન કરતાં ઘણું મળ્યું. જૂ. ગિ –૩૩
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy