________________
ર૫૬ઃ જૂનાગઢ અને ગિરનાર
વિષ ઉપર, તત્ત્વપ્રકાશ, બુદ્ધિ પ્રકાશ, કાઠિયાવાડ સમાચાર, અમદાવાદ સમાચાર, ચાબૂક, સમશેર બહાદુર, ખેડા સમાચાર, રાસ્તગુફતાર વગેરે સામાયિકે અને વર્તમાન પત્રોમાં વિદ્વતાપૂર્ણ અનેક લેખો લખ્યા. તેની વિદ્વતા જોઈ કવિ દલપતરામે લખ્યું છે કે,
વેદ તણે બહુ ભેદ વિચક્ષણ શુદ્ધ ચિત્ત ચતુરાઈ •
ભાંગી શકે ભવ ભેદ ભયંકર શંકર કે મણિશંકરભાઈ તેમણે તારીખે સેરના ફારસી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું હતું, પણ કમભાગ્યે તે પ્રત કયાંય મળતી નથી.
આ બહુશ્રુત અને પ્રકાંડ વિદ્વાન અને રાજપુરુષને તા. ૧૦મી નવેમ્બર ૧૮૮૪ના રોજ દેહ વિલય થયે.
શ્રી. મણિશંકરના મંડલના વેદમૂર્તિ શ્રી ગોરાભાઈ રામજીએ સ્કંદપુરાણના નગરખંડ અને પ્રભાતખંડનો ગુજરાતી અનુવાદ કર્યો અને બીજા પુસ્તક અને લેખો લખ્યા. શ્રી ત્રિકમરાય ઉદયશંકર માંકડે ઈ. સ. ૧૮૮૧માં ન્યાત પ્રકાશ અને શ્રી મથુરદાસ અમૃતલાલ વસાવડાએ “વેદાર્થ પ્રકાશ' નામનાં માસિક શરૂ કર્યા અને તેમાં જૂનાગઢના નવદિત લેખકેના લેખો પ્રગટ કરી સાહિત્ય પ્રવૃતિને વેગ આપ્યો. ઈ. સ. ૧૮૮૯માં વિજ્ઞાનને પરિચય આપતાં “મધમાખ” તથા “જ્ઞાન દીપક' નામનાં માસિકે પણ પ્રકાશિત થયાં શ્રી ભગવાનલાલ ઇદ્રિજી
જૂનાગઢના ગૌરવ જેવા આ મહાપુરુષને જન્મ, જૂનાગઢમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં તા. ૭-૧-૧૮૬૯ના રોજ થયે હતો. એ કાલે જે અજ્ઞાત કે અલ્પજ્ઞાત હતી તેવી પુરાતત્વ વિદ્યામાં તેમણે રૂચિ કેળવી કોઈપણ પ્રકારની તાલીમ કે શિક્ષણ વગર આપમેળે અશોકના લેખના રબો લીધાં અને તે વાંચવા પ્રયાસ કર્યો જૂનાગઢ એક કાળે ગિરિનગર કહેવાનું અને તેની સમીપે સુદર્શન નામનું તળાવ હતું તેની તેણે જગતને પ્રથમ જાણ કરી. જૂનાગઢ રાજ્ય તેને માસિક ૩૦૦ને પગાર આપ્યો તથા પ્રસિદ્ધ વિદ્વાન અને પુરાવિદ્ ડે. ભાઉ દાજીની
1 સ્વ. રા. બ. શિવદતરાય માંડના પિતાશ્રી. [2 સ્વ શ્રી કનકરાય મહાસુખરાય તથા ડો. અશ્વિનભાઈ વસાવડાના પિતામહ 3 આ માસિકના તંત્રીઓના નામો મળ્યાં નથી..