________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૫ સાંસ્કૃતિક પ્રવૃતિ શ્રી. મણિશંકર કીકાણી
આ સમયમાં જૂનાગઢમાં મણિશંકર કીકાણી નામના એક પ્રખર વિદ્વાન વસતા. તેમને જન્મ ઈ. સ. ૧૮૨૨માં થયેલ અને ઈ. સ. ૧૮૩૪થી ઈ. સ. ૧૮૭૪ સુધી એજન્સીમાં નોકરી કરી નિવૃત્ત થઈ જૂનાગઢમાં રહેતા હતા. આ બહુશ્રુત અને પ્રકાંડ પંડિત તે સમયમાં પ્રવર્તતા ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારોથી ઘણું આગળ જઈ મૂર્તિપૂજ, સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા આદિ માન્યતાઓનું નિર્ભય પણે ખંડન કરી, જનતાને મધ્યયુગના અંધારામાંથી પ્રકાશમાં લાવવા પ્રયત્ન કર્યો. તેણે ઈ. સ. ૧૮૬૪ માં જૂનાગઢમાં જ્ઞાન ગ્રાહક સભા, બુદ્ધિવર્ધક સભા તથા સુપંથ પ્રવર્તક મંડળી સ્થાપી, જે પાછળથી સૌરાષ્ટ્ર નાગર મંડળી થઈ ગઈ. જ્ઞાન ગ્રાહક સભાના ઉપક્રમે ઈ. સ. ૧૮૬૪માં તેમણે સૌરાષ્ટ્ર દર્પણ નામનું માસિક શરૂ કર્યું. તેનું તંત્રીપદ વેદમતિ આચાર્ય વલભજી હરિદો સંભાળ્યું અને તેનું પ્રકાશન બંધ પડતાં ઈ. સ. ૧૮૭૯માં તેનું પુનઃ પ્રકાશન શ્રી રૂદ્રજી સુંદરજી રાણુના તંત્રીપદ નીચે શરૂ થયું.
શ્રી. મણિશંકર કવિ હતા, સમાજ સુધારક હતા, સંસ્કૃત અને ફારસી ભાષાના પરમ વિદ્વાન હતા. તેમણે કલા અને વિજ્ઞાન, વેદાંત અને અર્થશાસ્ત્ર તથા કાવ્ય અને સાહિત્ય ઉપર પુષ્કળ લખ્યું છે. કમભાગ્યે તેના કોઈ પુસ્તક કે લેખો ઉપલબ્ધ નથી.'
શ્રી. મણિશંકર કીકાણીનું નિવાસસ્થાન વિદ્વાનોના મિલન સ્થાન જેવું થઈ ગયું. ડે. ભગવાનલાલ ઇંદ્રજી અને આચાર્ય વલ્લભજી હરિદત્ત જેવા પુરાતત્ત્વવિદે, ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ તથા કૃપાશંકર ઉમિયાશંકર વસાવડા જેવા ઈતિહાસકારે, વેદશાસ્ત્ર પારંગત, ગોરાભાઈ રામજી પાઠક તથા શાસ્ત્રી હરિદા કરૂણાશંકર, વોરા જટાશંકર હરજીવન, જીવાભાઈ કીકાણી જેવા વિદ્વાનોએ તેમની વિદ્વતાથી અને તેમનાં કાર્યોથી ગુજરાતી સાહિત્ય અને ઈતિહાસનાં ક્ષેત્રોમાં જૂનાગઢનું નામ ઉજજવલ કર્યું છે.'
શ્રી. મણિશંકરે, ઈતિહાસ, લેકવાર્તા. ખોળ, ભૂગોળ, આરોગ્ય, આયુ- ', વેદ, ભાષાશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, વેદાંત, સમાજની સમસ્યાઓ આદિ અનેક
1 મણિશંકર કીકાણી (જીવન ચરિત્ર) શ્રી. જ. પુ. જોશીપુરા. 2 શ્રી. લાધાભાઈ મણિશંકર કીકાણના પિતામહ.