SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૩ રાવ બહાદુર ગણેશ ગોવિંદને તેમજ પાછળથી ઈ. સ. ૧૮૮૧માં મુંબઈ સરકારના જાહેર બાંધકામ ખાતાના સચિવ અને કનસલ્ટીંગ સર્વેયર જનરલ હે કાકને જૂનાગઢ બેલાવી અભિપ્રાય લીધે પણ કોઈએ, એક પણ માર્ગ દર્શાવ્યો નહિ એટલે એ સમયે આ યોજના પડતી મૂકવામાં આવી. ફરતો માર્ગ જૂનાગઢ શહેર ફરતી ખાઈ હતી. આ ખાઈને ઉપયોગ રહ્યો નહિ તેથી ત્યાં સુંદર માર્ગ બાંધવાનો નિર્ણય લઈ ખાઈ પૂરાવી ફરતે પાકે રસ્તા . સ. ૧૮૮૧માં બાંધવામાં આવ્યો તથા તે સાથે ગિરનાર સુધીને રસ્તે પણ સુધાર્યો પ્રાણી સંગ્રહસ્થાન ઈ. સ. ૧૮૬માં સૌરાષ્ટ્રનાં અને સવિશેષ શિરમાં થતાં પ્રાણીઓનું પ્રજજને નિરીક્ષણ કરી શકે માટે સકકરબાગમાં એક પ્રાણી સંગ્રહસ્થાન સ્થાપવામાં આવ્યું. જેમાં સિંહ, દીપડા વગેરે પ્રાણીઓને રાખવામાં આવ્યાં. સિંહોની સંખ્યા બિરમાં આ સમયમાં સિંહની સંખ્યા લગભગ નહિવત થઈ ગઈ હતી. ઈ. સ. ૧૮૯૦માં ડયુક ઓફ કેનેટ શિકારે આવ્યું ત્યારે એક પણ સિંહ મળે નહિ તેથી સાર્વભૌમ સત્તાએ સિંહની સંખ્યા વધે તેવા ઉપાય જવા રાજયને અનુરોધ કર્યો. દાતાર જમીયલશાહ દાતાર ઉપર જવાનાં પગથિયાં તથા ત્યાં સુધી પહેચવાને માર્ગ બાંધવાનું કાર્ય ઇ. સ. ૧૮૯૧માં શરૂ કરવામાં આવ્યું અને ઈ. સ. ૧૮૯૪માં સંપૂર્ણ થતાં મુંબઈના ગવર્નર લે હેરિસના હાથે તેનું ઉદ્ધાટન થયું. 1 વિગતો માટે જુઓ પરિશિષ્ટ. 2 આ સંગ્રહસ્થાન થોડા સમય માટે સરદાર બાગમાં રાખેલું પણ પાછળથી ફરી પાછું સક્કરબાગમાં લઈ જવામાં આવ્યું. 3 સિંહની સંખ્યા આ પ્રમાણે હતી. ઈ. સ. ૧૫૫-૨૯૦, ૧૯૬૩-૨૮૫, ૧૯૭૦-૧૭૭, ૧૯૭૪-૧૮૦ તેમાં ૫૫ નર, ૭૭ માદા તથા બચ્ચાંઓ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy