SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ર : જૂનાગઢ અને ગિરનાર તૂટેલ અને અણઘડ હતાં તેથી યાત્રિકોને અપાર તકલીફ પડતી. તે નિવારવા દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ ડો. ત્રિભોવનદાસ મોતીચંદ શાહના સહકારથી ગિરનાર લેટરી કાઢી, તેમાંથી રૂપિયા સાડા ત્રણ લાખ જેટલી રકમ મેળવી. તેમાંથી ગિરનાર ઉપર જવાનાં પગથિયાં ઈ. સ. ૧૮૮માં બંધાવ્યાં. શાહપુરને કિલ્લે ‘નવાબને ગમે તે કારણે શાહપુર બહુ પ્રિય હતું, તેથી ત્યાં ગામ ફરતે કિલે બંધાવ્યું. આ કિલ્લાનું ખાતમુહૂર્ત તા. ૧૭-૫-૧૮૮૭ના રોજ કરવામાં આવેલું. પથ્થરના સિંહે ગિરનારના પથ્થરે કારીગીરી માટે નામા છે એ અભિપ્રાય નિષ્ણાતોએ આપતાં વજીર બહાઉદ્દીનભાઈએ, ગિરનારના જુદા જુદા પથ્થરોને ઈગ્લાંઠ અને અમેરીકાની પ્રયોગશાળાઓમાં મોકલી જુદા જુદા નમૂનાઓ તૈયાર કરાવ્યા અને તેમાંથી મોટા પાયા ઉપર “હુન્નર ઉદ્યોગ” કરવા વિચાર્યું. તેમણે દામોદર કુંડ પાસે સનરખના ડુંગરની પાળીમાંથી ગ્રેનાઈટ પથ્થરને મોટો. ટુકડા કઢાવી રાજકોટની હુન્નર શાળાના સુપ્રીન્ટેન્ડેન્ટ મિ. સાઈકસને બતાવી તેની હુનર શાળામાં ચાર સિંહે તૈયાર કરાવ્યા. આ સિંહે પ્રથમ લેલા નદીને બાર્ટન બ્રીજ થયો ત્યાં ઈ. સ. ૧૮૮૦માં મુકાવેલા પણ પછી રેલવે સ્ટેશનના સિંહ દ્વાર પાસે ઈ. સ. ૧૮૮૮માં મૂકાવ્યા. બીજા વેરાવળના રેલવે સ્ટેશનના દ્વારે મૂકાવ્યા. વોટર વર્કસ જૂનાગઢ શહેરને નળ દ્વારા પીવાનું પાણી આપવાની યોજના રાજ્ય વિચારી. પ્રથમ કાળવાને સજીવન કરવા તપાસણી કરી પણ તે શકય ન જણાતાં ઈ. સ. ૧૮૭૬માં દાદર કુંડ પાસે સોનરખ નદીમાં બંધ બાંધવા મોજણી શરૂ કરી. આ મોજણી થતી હતી ત્યાં વિ. સં. ૧૯૩૩ના ચૈત્ર વદી ૧૧ સેમવારની તારીખથી એક અરજી, પાંચસોથી અધિક હિન્દુ નાગરિકોની સહીથી વકીલ રેવાશંકર મયાશંકર તથા વકીલ ભવાનીશંકર ઉમિયાશંકરે આપી. દામોદર કુંડ પાસે વર્કસ થાય તો તીર્થસ્થાનોને અડચણ પડે તે વાંધો ઊઠાવ્યો. તે ઉપરથી એજન્સી એન્જિનીયર તથા ગેહલ રાજ્યના ચીફ એન્જિનીયર 1 વિગતે માટે જુઓ પ્રકરણ ૮મું.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy