________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૫૧
હોસ્પિટલ, ડોકટર કલ્યાણ ફંડ, વગેરે ફંડ તથા મહાભારતના ભાષાંતર માટે બાબુ પ્રતાપચંદ્રને તેમજ તાપીના પુરથી જેમને નુકસાન થયું હતું તેવા માણસને પણ આર્થિક સહાય આપેલી. આ રકમને સરવાળે રૂપિયા ૨,૬૪૦૦૦ જેટલો થાય છે. ફરગ્યુસન પુલ
જાનાગઢને વિસ્તાર શહેરથી દક્ષિણ તરફ વધી શકે તેમજ ખડીયા, વંથલી વગેરે વિસ્તારમાંથી જૂનાગઢ આવતી પ્રજાને સુવિધા થાય તે માટે કાળવાના
કળા ઉપર રાજ્ય એક “શે ભાયમાન” પુલ બાંધવાને નિર્ણય લીધે. આ પુલને પાયે મુંબઈના ગવર્નર સર જેઈમ્સ ફરગ્યુસને ઈ. સ. ૧૮૮૫ના નવેમ્બર માસની ૨૨ મી ના રોજ નાખ્યો. અને તે જ દિવસે મહાબત મદ્રસાને પણ પાયો નાખવામાં આવેલ. આ પ્રસંગે નવાબે ભવ્ય સવારી કાઢી અને પ્રજાજનોએ નગરને રેશની અને ધજાપતાકાથી શણગાયું. તે સમયના વૃત્તાંત નિવેદક નેધે છે કે ઢાલ રોડ ઉપર નગરશેઠ માધવજી કાનજી રાજા તથા વોરા જાફરભાઈની દુકાને રંગબેરંગી ફાનસેથી સુંદર રીતે શણગારી હતી. શેઠ માધવજી કાનજીએ તેની દુકાનમાં બીલેરી કાચનાં ઝાડ અને તખ્તાઓ મૂકી સુશોભન કર્યું હતું.' લેપર એસાયલમ
જૂનાગઢમાં જમીયલશાહ દાતારની જગ્યામાં રક્તપતિયાઓને દર્દ મટે છે તેવી શ્રદ્ધાથી સેંકડે દર્દીઓ ત્યાં પડયાં રહેતાં. તેથી રાજ્ય ઈ. સ. ૧૮૯માં ત્યાં લેપર એસાયલમ બાંધવાનો નિર્ણય લઈ પ્રિન્સ ઓફ વેસ આલબર્ટીવિકટર ગિરમાં સિંહના શિકારે આવતાં તેના હાથે દાતારની નીચેની જગ્યા પાસે લેપર એસાયલમનું શિલારોપણ કરવામાં આવ્યું. આજે પણ આ સંસ્થા અનેક રોગીઓને રાહત આપી રહી છે. ગિરનાર લોટરી
ગિરનાર ઉપર ચડવાનાં પગથિયાં, આડા અવળાં, ઊંચાં નીચાં, ભાંગેલ
1 આ પુલને વિસ્તૃત કરતાં તેનું ઉદ્ઘાટન તા. ૧૭-૫-૧૯૭૨ના રોજ ગુજરાત રાજ્યના ' મંત્રી શ્રી રતુભાઈ અદાણીના સાનિધ્યે થયું. 2 શ્રી ચિરંજન (બચુભાઈ) રાજાના પિતામહ, 3 સૌરાષ્ટ્ર દર્પણ ડીસેમ્બર ૧૮૮૪.