________________
ર૪૮ : જૂનાગઢ અને ગિરનાર
જતા સ્વામાં આવી પણ કોઈ કારણસર તે પડતી મૂકવામાં આવી.
નવાબ મહાબતખાનના સમયમાં, ધોરાજી સુધી આવી ગયેલી રેલવે લાઈન જૂનાગઢ સુધી લંબાવવા, ઈ. સ. ૧૮૬૭માં નિર્ણય લેવામાં આવેલો. તેની પૂર્વભૂમિકા તરીકે, ધેરાજી, જૂનાગઢ માગ પણ બંધાયો અને તારની લાઈન પણ રાજય ખ ધોરાજીથી જૂનાગઢ સુધી લાવવામાં આવી. પરંતુ ભાવનગરધોરાજી લાઈન થતાં, તે યોજના પડતી મૂકવામાં આવી અને જેતલસરથી જૂનાગઢ પિતાને ખર્ચે રેલવે લાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યું.
વેરાવળ બંદરના એન્જિનિયર મિ. બેલીયલ સ્કોટ, ધોરાજી-જૂનાગઢ લાઈનની સર્વે કરેલી અને મિ. ડબલ્યુ ફલેરડીએ જૂનાગઢ-વેરાવળ લાઇનની સર્વે કરેલી તે રદ કરી, જૂનાગઢ રાજ્ય ભાવનગર-ગોંડલ રેલવેના એન્જિનિયરે મિ. ડેગર ફીલ્ડ અને મિ. નેકસને આ કામ સોંપતાં તેઓએ સંતોષકારક રીતે સર્વે સંપૂર્ણ કરી. - ઈ. સ. ૧૮૮૬ના ડિસેમ્બરની ૧૧મી તારીખે, રેલવેનું ખાત મુહૂર્ત મુંબઈના ગવર્નર લેઈ ના હાથે કરવામાં આવ્યું. અને ઈ. સ. ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જેતલસરથી ઉપડેલી પ્રથમ ટ્રેન ચેકીને સ્ટેશનમાં આવી ત્યારે તેને મંગલ પ્રવેશ પણ લોર્ડ રે ના હાથે કરવાનું ભવ્ય સમારંભ ચાકી સ્ટેશને જવામાં આવ્યું. - ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૧૯મી તારીખે જૂનાગઢના સ્ટેશનમાં રેલવે ટ્રેનને પ્રથમ પ્રવેશ થયે તે પ્રસંગને યાદગાર બનાવવા કેપ્ટન કેનેડીના હાથે સ્ટેશન પાસે પોલિટિકલ એજન્ટ કર્નલ વુડ હાઉસ નામનું પરૂં વસાવવાનું ખાતમુદ્દત થયું. વજીર બહાઉદ્દીનભાઈએ ત્યાં નવા મૂકેલા રે ગેઈટની દક્ષિણે મકાન બાંધ્યાં અને ઉત્તર તરફ રાયે બાંધ્યાં. આજ આ પરૂં પ્લેટના નામે ઓળખાય છે. રે ગેટ ઉપર ટાવર બનાવી ત્યાં ઘડિયાળ મૂકવામાં આવેલું પણ તે હાલમાં બંધ પડેલું છે.
આ રેલવે લાઈનના બાંધકામને ખર્ચ રૂપિયા ૩૮,૧૮,૭૮૮ થ હતા, જયારે પ્રથમ રેલવે ટ્રેને જૂનાગઢ સ્ટેશનમાં પ્રવેશ કર્યો ત્યારે રાજકર્તાઓ અને પ્રજાજનોએ તેનું સ્વાગત કર્યું અને ત્યાંથી ભવ્ય સવારી કાઢી રાજમાર્ગો ઉપર નવાબ ફર્યા. લેકેએ પણ નગરને સુંદર રીતે શણગાયું હતું.
વેરાવળથી બંદર સુધીની . ૮૭ માઈલની ડેક એસ્ટેટ રેલવે પણ છે સ. ૧૮૯૦ માં સંપૂર્ણ થઈ.