SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધઃ ૨૪૯ રાજ્યનું વર્ષ નવાબીની સ્થાપનાથી રાજ્યનું બેસતું વર્ષ નક્કી થયેલું તેના પ્રથમ દિનને ગુમહેર કહેતા. ઈ. સ. ૧૮૮૪માં રાજ્ય જોશી કાશીનાથે એવું મંતવ્ય રજૂ કર્યું કે પ્રતિવર્ષ ૩૬૫ દિવસ અને ૧૫ ઘડીનું થવું જોઈએ પણ ઘડી લક્ષ્યમાં લેવાતી નથી, પરિણામે એક શતક વિત્યે ૨૬ દિવસને ફેર પડે છે. આ મંતવ્ય રાજ્ય વિચારણામાં લઈ દીવાન ફતર જા. નં. ૭૨ તા. ૩-૮–૧૮૮૪ના વટહુકમથી અંગ્રેજી તારીખ ૧ લી સપ્ટેમ્બરથી ગુરમહેર ગણવા ઠરાવ કર્યો કેળવણી - કેળવણીમાં મુસ્લિમો પછાત છે તેથી તેમને ઉરોજનની જરૂર છે એમ વિચારી વજીર બહાઉદ્દીનભાઈએ મહાબત મદ્રસા નામની સંસ્થા સ્થાપી. તેનું મુહર્ત તા. ૨૨-૧૧-૧૮૮૪ના રોજ મુંબઈના ગવર્નર સર જેઈમ્સ ફરગ્યુનના હાથે તથા ઉદ્દઘાટન તા. ૨૦-૧૦-૧૮૮૭ના રોજ ગવર્નર લેડ રે ના હાથે થયું. બહાદરખાનજી હાઈસ્કૂલમાં ઈ. સ. ૧૮૮૭માં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ની થઈ ગઈ અને તે પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં પણ સંખ્યા વધી ગઈ. ગુજરાત કોલેજમાં બી. એ. ની પરીક્ષામાં સહુથી વિશેષ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થીને ફેલે નિમવા માટે મહાબત ફેલોશીપ જૂનાગઢ રાજ્ય આપી અને તેના માટે મુંબઈ યુનિવર્સિટીને રૂપિયા ૩૦,૦૦૦ની રકમ પ્રદાન કરી. બહાઉદીન કેલેજ થયા પછી આ ફેલોશીપને તે કોલેજમાં ફેરવી નાખી. ઈ. સ. ૧૮૮૯માં ૨૧ વર્ષની વયે મુંબઈની એલફીસ્ટન કોલેજમાંથી બી. એ. થઈ. ઈ. સ. ૧૮૯૧માં એલ. એલ. બી. થયેલા જૂનાગઢના પ્રથમ 1 માહિતી મૂળ કાગળ સહ-શ્રી શંભુપ્રસાદ જોશી. જ. ગિ.-૩૨
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy