SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ : જૂનાગઢ અને ગિરનાર નાકરીમાં દાખલ કરવામાં આવ્યા. તેએ ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસરના પદ ઉપર પહેાંગી નિવૃત્ત થયા. કાદુનું બહારવટું તારીખ ૧૬-૧-૧૮૮૫ થી શરૂ થયુ અને તારીખ ૨૦-૪-૧૮૮૭ ના રાજ તેના અંત આવ્યા. આ સવા બે વર્ષ ના હંગામાના રાજ્યને રૂપિયા ૩,૯૩,૭૨ ના ખર્ચે થયા. 2 કાદુને એક જ પુત્રી કૃતિમા હતી. તેના એક પુત્ર અલીમહમદ અબ્દુલા હમણાં જ ગુજરી ગયા છે. ખીજા પુત્ર વલીમમદ જંગલ ખાતામાં નાકર હતા. હવે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. સથી લૂંટારાઓ ઈ. સ. ૧૮૮૮માં ખૂન અને લૂંટના ગુના માટે જન્મટીપની સજા ભાગવતા સંધી પુના જુમા અને તેના સાથી, વારાને મારી ગાંડલની જેલમાંથી નાસી છૂટયા. તે સમયે હાલારમાં મઢીને ચારણુ બહારવટિયા, રાયદે ભાયા જીચડ જમજાળ મહારવટુ ખેડતા તેની સાથે તેઓ મળી ગયા. આ ટોળી સોરઠમાં ઉતરી આવી અને જૂનાગઢની પેાલીસે તેમને મેંદરડા પાસે આંતરી ધીંગાણું કર્યું. તેમાં જૂનાગઢના આસિસ્ટન્ટ પોલિસ સુપ્રિટેન્ડેન્ટ જમાદાર ઉમર્ હાનાઅે તારીખ ૨૫-૮-૧૮૮૮ ના રાજ ઉંમર સેઢાને મારો નાખ્યા. તે પછી જમાદાર સુલેમાન ઉંમરે, પુના, કાસમ, રાણા, ઝીંદા, અભરામ, કાસમ શરાફ અને ખમીસા વંડારીને, સમળવી કૅનલ હફી પાસે રજૂ કરી દીધા. કેદીના બળવા ઈ. સ. ૧૮૮૮માં જૂનાગઢ સે.ટ્રલ જેલના સેાળ કેદીએ સાંજે ચાર વાગે વારાને મારી, હથિયારો લઇને નાસી છૂટયા. તેની પાછળ પડેલી જેલ પેાલીસે, તેમને ધારાગઢ દરવાજા પાસે પકડી પાડી ધી...ગાણું કરતાં તેમાં નવ કૈદીએ અને બે પોલીસ કૈાન્સ્ટેબલે માર્યા ગયા. બીજા કેદીએ! શરણ થયા. 1 શ્રી. ગુલમહમદ શાખદાદના પુત્ર અખ્તરહેમાન, વેસ્ટર્ન રેલવેમાં ગાર્ડ છે. શ્રી ઝવેરચંદ્ન મેઘાણીને કાદુની હકીકત શ્રી ગુલમહમદભાઇએ આપેલી. 2 આ બહારવટીઓ લેાકાનાં નાક ફાન કાપતા. તત્કાલિન ચીફ મેડીક્લ ઓફિસર ડી. ત્રિભાવનદાસ મેાતીચંદ શાહે સ્વયંસ્ફૂરણાથી પ્લાસ્ટીક સર્જરીથી કપાયેલાં નાક પાછાં જોડયાં તેમનું નામ આજ પણ પ્લાસ્ટીક સર્જરીમાં પાયાનિયર તરીકે છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy