________________
૨૩૮ : જૂનાગઢ અને ગિરનાર
શકે એવા મુત્સદી અને મહારથી હતા. જૂનાગઢના નગર વિકાસ અને આ જનને યશ તેમને ફાળે જાય છે. નવા યુગના પ્રારંભમાં તેમણે જૂના વિચારોથી પર જઈ, ધાર્મિક સહિષ્ણુતા, શિક્ષણ પ્રેમ, ન્યાયવૃત્તિ વગેરે ગુણે કેળવી એક તંદુરસ્ત પ્રણાલિકા પાડી.
સાલેહ હિન્દી ઈ. સ. ૧૮૮૭ના ફેબ્રુઆરીની ર૪મી તારીખે ગુજરી ગયા. કાદુ મકરાણી
પ્રભાસપાટણમાં નવાબ નામનો મકરાણી રહે . તેને જૂનાગઢના નવાબ હામેદખાન પહેલાએ પાટણ તાલુકાનું ઈણજ ગામ ઈનામમાં આપેલું. ઈ. સ. ૧૮૨૪ લગભગ મકરાણના મંદ જિલ્લાને વલીદદ નામને મકરાણી પ્રભાસપાટણ આવ્યા અને નવાબના પુત્ર મહમદના પુત્ર ઈસ્માઈલ જમાદારના કારખાના એટલે થાણામાં નોકરીએ રહ્યો. ઈજ ઉજજડ પડેલું અને વસતી રહેવા આવતી નહિ તેથી ઈસ્માઈલે માળીયા હાટીના)ના મકરાણી દસ્તમહમદના પુત્ર મધીયાનને ઈજ ગામે પસાયતા તરીકે રાખ્યું. પણ તેણે કઈ “ફિતુર કરવાથી તેને દૂર કરી ત્યાં વલીદાદને એક સાંતી જમીનનું પળત આપી પસાયતા તરીકે રાખે.
વલીદાદ તેની મરદાનગીથી આ પ્રદેશમાં મશર થઈ ગયો અને તેણે ઈ. સ. ૧૮૪૬માં માંગરોળના શેખને ગઢ લૂંટી ભાગેલા શકર જમાદારની ટાળીને પીછે પકડી પેટલાદની બજારમાં ધીંગાણું કરી તેને ઠાર માર્યો. દરમ્યાનમાં મધીયાને, ઇણાજમાં તેને ભાગ છે એવો દાવો કર્યો અને તેને દાદ મળી નહિ ત્યારે તે બહારવટે ચડ્યો. વલીદાદે તેને પણ મારી નાખે. આ વીરતાથી પ્રસન્ન થઈ ઈસ્માઈલ જમાદાર, જૂનાગઢ રાજ્યની પરવાનગી લઈ તેને ઈણજ ગામમાં એથે ભાગ આપ્યો.
વલીદાદ સાથે ઈસ્માઈલ જમાદારે તેની બહેનનાં લગ્ન કરી આપ્યાં અને તે ઈણાજમાં સ્થિર થયા. તે પછી તેણે મકરાણમાંથી તેના ભાઈ ઉંમર, નુરમહમદ તથા ઓમાનને લાવ્યા. નુરમહમદને અમરાપુર થાણે પસાયતું મળ્યું અને ઓસ્માન, સનવાવ થાળે રહ્યો, ઉંમર પ્રભાસપાટણમાં વલીદાદ સાથે રહ્યો.
- ઈસ્માઈલ જમાદારની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી તેથી વલીદાદે ઈશુજને બાકીને ભાગ, મોટી રકમો ધીરી તેની પાસેથી લખાવી લીધે, અને ઈશુજ અંગત કરી લીધું.
વલીદાભે ફતેહ મહમદ નામને એક જ પુત્ર હતા અને ત્રણ પુત્રીઓ