________________
બાબી વંશ-ઉત્તરાર્ધ = ૨૩૭
શર્તમાંથી મુક્ત થવા માગણી કરતાં, જૂનાગઢ રાજ્ય, સ્પેશિયલ દીવાન ખાનબહાદુર અરદેશર જમશેદજી તથા ખાનગી કારભારી શ્રી અમરજી આણંદજી કરછીની નિમણૂક કરી અને તેઓએ યાઓની અમુક જમીને રાજય દાખલ કરી તેમને ને કરીમાંથી માફી આપી
આ ભયંકર હત્યાકાંડની જવાબદારી નવાબની નથી અને તેને તેની માહિતી પણ ન હતી તેમ કહી સમગ્ર દેષ પિતાના શીરે દીવાન સાલેહ હિન્દીએ લઈ લીધો છતાં રાજ્યનું ઉજવલ નામ અને નવાબ બહાદરખાનની શરૂ થતી કારકીદ કલંકિત થયાં. સાલેહ બીન સાલમ હિન્દી
જામનગર રાજ્યના જેડીયા ગામેથી ઈ. સ. ૧૮૩૯માં ૧૮ વર્ષની વયે કરી શોધવા આવેલા આ આરબ યુવાને તેની બુદ્ધિ, શક્તિ, નીતિ અને વફાદારીથી ભાગ્ય બળે આગળ વધી જૂનાગઢના દીવાનનું પદ પ્રાપ્ત કર્યું તેણે નવાબ મહાબતખાન બીજાને જાન અને માન બચાવી તેની કૃપા સંપાદન કરી અને વાઘેરોના બહારવટાં પ્રસંગે રાજની શબંદીને ઉપરી તરીકે, કૌશલ્ય અને વીરતાથી અંગ્રેજ લશ્કરી અમલદારોની પણ પ્રશંસા મેળવી. તે લગભગ નિરક્ષર હોવા છતાં, હૈયા ઉકલત અને કુદરતી સમજથી રાજતંત્રમાં પણ તેણે એક કુશળ વહીવટકર્તા તરીકે પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં. બ્રિટિશ સરકારે તેને ઈ. સ. ૧૮૭૭માં ખાનબહાદુરને અને ઈ. સ. ૧૮૭૮માં સી. આઈ ઈ. ના ચંદ્રક આપ્યા. નવાબે તેને હાંડલા અને વાંદરવડ નામનાં ગામો ઈનામમાં આપ્યાં.
જમાદાર સાલેહ હિન્દી, સાલેભાઈના નામે જાણીતા થયા હતા. તેમના આગલા દિવસોમાં પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ કરશનજી જાની નીચે તેણે નોકરી કરેલી તથા મામલભાઈ ઉફે જશવંતરાય વસાવડા તેની સાથે નોકરીમાં હતા તેમને તે દીવાનપદે પહોંચ્યા પછી પણ જે રીતે તેઓ પૂર્વજીવનમાં વર્તાવ કરતા તે જ માન અને પ્રેમ ભર્યો વર્તાવ કરતા. મામલભાઈ તો સાલેહ હિન્દી દીવાનપદે આવ્યા પછી તેના પર વિશ્વાસુ મિત્ર અને સલાહકાર હતા. તેઓ વાસ્તવિક દીવાન હતા અને આજે પણ ઘણે સ્થળે “સાલેહ બીન સાલમ હિન્દીની સહી દ. મામલ' વાંચવામાં આવે છે. - સાલેહ હિન્દી ગંભીર, નિષ્પક્ષપાતી અને સ્વભાવની સમતુલા જાળવી
1 તેના પૌત્ર આજ પણ જુનાગઢમાં વિદ્યમાન છે.