________________
૨૩૬ : જૂનાગઢ અને ગિરનાર
નહિ. ઈ. સ. ૧૮૮૩ ના જાન્યુઆરીની ૨૫ મી તારીખે, જૂનાગઢથી જમાદાર સુલેમાન ઉંમર તથા ચીસ્તી મકબુલમીયાં ફેઝદીનમીયાંની સરદારી નીચે રાજ્યની શબંદી આવી પહોંચી અને તેણે આ શાંત અને નિઃશસ્ત્ર મૈયાઓ ઉપર સશસ્ત્ર આક્રમણ કર્યું. સિપાઈઓની તલવારની ધાર નીચે અને તેમની બંદુમાંથી આડેધડ રૂટતી ગોળીઓને શિકાર થઈ ૮૫ મૈયાઓ સખત રીતે ઘવાયા જેમાંના ઘણાં પાછળથી મૃત્યુ પામ્યા અને ૧૧૦ મૈયાઓને શીબંદીના સરદારે પકડી, બાંધી, ઢસડીને માર મારતા જૂનાગઢ લઈ આવ્યા. મરાઈ ગયેલા મૈયાઓનાં શબેનાં માથાં કાપી ગાડીઓમાં ભરી જુનાગઢ લાવતા હતા પણ મેજર ઑાટે વચમાં પડી તેને પલાંસવા ગામ પાસે દટાવી દીધાં. આગેવાનો શબાને જૂનાગઢ લઈ આવે ઈન્કવેસ્ટ ભરી.
- આ ક્રર અને નિર્દય કતલમાં તરસીંગડાનો માત્ર ૧૨ વર્ષને મુખી તેના ઘરમાં પુખ્ત વયનું કેઈ ન હોવાથી આવેલે. તેની સાથે આવેલી તેની મોટી બહેને સિપાઈઓને, તેના ભાઈનું રક્ષણ કરવા આજીજી કરી ખોળો પાથર્યો પણ તેની વિનતી વ્યર્થ ગઈ અને તલવારનો ઘા કરતા સૈનિક આડે આ બહેને પિતાની કાયા ધરી દઈ ભાઈનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો. તેના ભાઈ ઉપર પણ ઘા થયે અને ભાઈને પ્રાણ પરવર્યો તે પહેલાં આ બહેનનું પ્રાણ પંખીડું ઊડી ગયું.'
આ હત્યાકાંડના સમાચારથી દેશભરમાં હાહાકાર મચી ગયે. મુંબઈનાં તત્કાલિન વર્તમાન પત્રો અને આગેવાનોએ આ પ્રશ્ન ઉપાડી લીધો અને મધ્યકાલિન રાજ્યોમાં થતે તે જુલમ બ્રિટિશ તંત્રના આશ્રયે નિર્ભય થયેલા જૂનાગઢ રાજ્યમાં થાય તેનું સમગ્ર ઉત્તરદાયિત્વ બ્રિટિશ સત્તાનું છે તે સૂર નીકળ્યો. પરિણામે સાર્વભૌમ સત્તાએ દીવાન સાલેહ હિન્દી, નાયબ દીવાન બાપ લાલ માણેકલાલને તથા પેલીસ ઉપરી જમાદાર સુલેમાન ઉંમરને રાજી નામા આપવા ફરજ પાડી. પ્રજાને અવાજ તેથી પણ શાંત થયો નહિ તેથી સરકારે, મિ. એસ. હેમીકના પ્રમુખપણ નીચે એક તપાસ પંચ નમ્યું. તેમાં વાંકાનેર રાજના મેનેજર શ્રી ચુનીલાલ સારાભાઈ હઝરત તથા ચૂડા કારભારી શ્રી રતીલાલ છોટાલાલ સભ્ય હતા. આ કમિશનરે મૈયાઓના હક્કો અને કક્ષાની તપાસ કરી એક નિવેદન રજૂ કર્યું, જે વિચારણામાં લઈ મુંબઈ સરકારે આજ્ઞા કરી કે મૈયાઓ ચાકરીયાત છવાઈદાર હતા. મૈયાઓએ આ નોકરીની
1 આ કરુણ પ્રસંગની સંપૂર્ણ વિગતો માટે જુઓ કનડાને કેર શં. હ. દેસાઈ