________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૩૫
જૂનાગઢના નવાબ થયા. તેમને રાજયાભિષેક પરંપરાગત ચાલતી આવતી પ્રથા અનુસાર રંગમહેલને ઉતર દરવાજે છે ત્યાંથી પૂર્વમાં સાત હવેલીને મકાન પાસે આમલીવાળા ઓટા ઉપર કરવામાં આવ્યું.
બહાદરખાને રાજ કેટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ગાદીએ આવ્યા પહેલાં ભારતને પ્રવાસ પણ કર્યો હતો. તેણે તેના પિતાની હયાતીમાં, પોલીસખાતું સંભાળેલું અને તેની પ્રવાસ દરમ્યાનની ગેરહાજરીમાં ઈ. સ. ૧૮૭૭માં રાજતંત્રની જવાબદારી પણ અદા કરેલી. ગાદીવારસને પ્રશ્ન
નવાબ મહાબતખાનના પ્રથમ બેગમ કમાલબૉના પુત્ર અહમદખાને; મહાબતખાનના મૃત્યુ પછી તરત જ જૂનાગઢની ગાદી ઉપર પિતાને દાવો રજૂ કર્યો. મમ નવાબની હયાતીમાં, અહમદખાન રાજપુત્ર નથી તેવો નિર્ણય બ્રિટિશ સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટ તરફથી લેવાઈ ગયેલ હોવાથી તેને અંતિમ ગણી એજન્સીએ તે રદ કર્યો અને બહાઉદ્દીનભાઈનાં બહેન લાડડી બીબીના પુત્ર બહાદરખાનને નવાબ તરીકે સ્વીકૃતિ આપી. * ; , મૈયાઓનું રિસામણું
જૂનાગઢ રાજ્યના કેદ મહાલના કણેરી, શેરગઢ, અજાબ, તરસિંગડા વગેરે ગામોમાં વસતા મૈયા જાતિના ગીરાસદારો જૂનાગઢ રાજયની સ્થાપના પૂર્વના સમયથી તેઓ ગીરાસ ભોગવતા હેવા છતાં રાજ્ય તેમને ચાકરીયાતની નીચી કક્ષામાં ગણતાં ઈ. સ. ૧૮૭૭માં કેટલીક લેત્રીઓ લાગુ પાડી. મૈયાઓએ, રાજય સત્તાધીશોને કરેલી કેટલીક અરજીઓ નામંજૂર થઈ એટલે તેઓએ એજન્સીમાં અરજી કરી ન્યાય માગ્યો પણ ત્યાંથી પણ દાદ મળી નહિ. તેથી ઈ. સ. ૧૮૮૨ ના ડીસેમ્બર માસની ૨૭ મી તારીખે, તેઓ કેશોદ પાસે આવેલા કનડા ડુંગર ઉપર ધારણે બેઠા, આગેવાનોએ આખી જ્ઞાતિને ઘેર ઘેરથી એક એક પુરુષને મોકલવા આજ્ઞા કરતાં મોટી સંખ્યામાં મૈયાઓ એકત્ર થયા અને નિઃશસ્ત્ર થઈ સત્યાગ્રહીઓની રીતે શાંત અને મૂક ધારણું શરૂ કર્યું. તેઓ ર૯ દિવસો પયત સમાધાનની આશાએ અહીં બેઠા રહ્યા. તેમને કહેવામાં આવેલું કે રાજકોટથી બ્રિટિશ અમલદારે વિષ્ટિ લઈને આવે છે પણ કેઈ આવ્યું ,
1 પ્રથમ નવાબ બહાદરખાનને રાજ્યાભિષેક આ ઓટા ઉપર થયેલે, તેથી નવાબે ગાદીએ
બેસતાં પહેલાં તે સ્થળે બેસી અભિષેક કરાવતા.