________________
૨૩૪ : જૂનાગઢ અને ગિરનાર
નવાબને વાઈસરેયે આમંંત્રણ આપતાં ઈ. સ. ૧૮૭૦, ૧૮૭૨, ૧૮૭૬ અને ૧૮૭૭માં દિલ્હી દરબારમાં હાજરી આપી.
બેગમા-સતાના
નવાબ મહાબતખાનનાં પ્રથમ લગ્ન રાધનપુર નવાબ જોરાવરખાનજીનાં કુંવરી કમાલ બખ્ત સાથે થયેલાં. તના કુંવર અમદખાન હતા. તે બનાવટી છે તેમ નવાબે જાહેર કરી સાબિતી આપતાં કમાલબતે તને સાથે લઈ રાધનપુર ચાલ્યાં ગયાં.
ખીજા લગ્ન જમાદાર બહાઉદ્દીનભાઈ શેખનાં બહેન લાડડી ખીખી સાથે થયેલાં. તેના કુંવર બહાદરખાન હતા.
ત્રીજા લગ્ન રાણપુરના બાબી સામતખાનનાં પુત્રી સરદારબખ્ત સાથે થયેલાં. તને કાંઈ સંતતિ હતી નહિ.
ચેાથાં લગ્ન જૂનાગઢના નુરજી સાથે થયેલાં. તેના કુંવર રસુલખાન હતા. પાંચમા લગ્ન જૂનાગઢનાં છેટીજી સાથે થયેલાં. તેના કુ`વર એદલખાન હતા. છઠ્ઠાં લગ્ન જૂનાગઢનાં નાનીજી સાથે થયેલાં. તેના કુંવરી તાજબખ્ત હતા. નવાબ મહાબતખાનનું મૃત્યુ
ઈ. સ. ૧૮૮૨ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે ૩૦ વર્ષ રાજ કરી ૪૫ વર્ષની વયે નવાબ મહાબતખાન ગુજરી ગયા.
જૂના યુગના અંતમાં અને નવાના પ્રારંભમાં સગીર વયે રાજપદ પ્રાપ્ત કરી આ નવાબે અંગ્રેજી શિક્ષણ લીધુ હતુ. અને અંગ્રેજ અધિકારીના સૌંપક માં આવી રાજકર્તાની ફરજો અને જવાબદારીએ શુ છે તે સમજી શ`લા. તેણે અનુભવી, પીઢ અને સનિષ્ઠ દીવાના દ્વારા રાજતંત્રને સુવ્યવસ્થિત અને આધુનિક પધ્ધતિસરનું કરવાના પ્રયત્નો કરેલા. નગર વિકાસ અને રાજ્યની આબાદી માટે આ દીવાનાએ કરેલા પ્રયત્નામાં હસ્તક્ષેપ કર્યાં નહિ અને પરિણામે જૂની મધ્યકાલિન પધ્ધતિએ ચાલતા રાજતંત્રનું આધુનિકરણ થયુ. અને રાજ્યની આવક, આબાદી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ. નવાબ મહાબતખાને જૂનાગઢમાં સુ ંદર મકાના, સુરોાભિત રાજમાર્ગ, ઉદ્યાના બનાવી શહેરની શાભા વધારી અને તે સાથે કલા, સાહિત્ય, શિક્ષણ અને વ્યાપારને ઉત્તેજન આપ્યું.
બહાદૂરખાન ૩ જા
બહાદરખાનના જન્મ તા. ૨૨-૧-૧૮૫૬ ના રાજ થયા હતા. નવાખ મહાબતખાન ખીજાના મૃત્યુ પછી ઈ. સ. ૧૮૮૨માં તે માત્ર ૨૬ વર્ષની વયે