________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૩૧
વચ્ચે વિવાદ થતાં નરસિંહપ્રસાદ એજન્સીના સંય સાથે લીમડી ગયા અને લીમડીને કબજે લીધે. તે જ વર્ષમાં ગોંડલના રાણીજી તથા કારભારી વચ્ચે વાંધો પડતાં એજન્સીએ તેમને ત્યાં મોકલ્યા અને ત્યાં પણ ગેઇલને કજો લઈ તકરાર અંકુશમાં લીધી.
એજન્સીની સેવામાં દશ વર્ષ રહી તેએ તા. ૧૬-૮-૧૮૬૩ ના રોજ નવાબના આગ્રહથી રાજીનામું આપી જૂનાગઢ આવ્યા અને તરત જ તેમને રાજય કાઉન્સીલમાં ખાસ સલાહકાર પદે નિમવામાં આવ્યા. તા. ૧૪-૧૧૧૮૭૩ ના રોજ તેમણે સરન્યાયાધીશ પદ સંભાળ્યું અને તે પછી હઝર કાઉન્સેલર થયા. તેમણે ઈ. સ. ૧૮૬૬માં જેતપુરનાં મજમુ ગામોને પ્રશ્ન તથા મૈયાઓના હક્કોને પ્રશ્ન કુનેહપૂર્વક અને સફળતાથી પાર પાડતાં નવાબે તેમને સમઢિયાળા ગામે ઈનામમાં આપ્યું. ઈ. સ. ૧૮૭૩ માં તેઓ નિવૃત્ત થયા. | શ્રી નરહપ્રસાદ ઈસ્ટ ઈન્ડિયા એસોસીએશનના સભ્ય હતા. તેમણે નરસિંહ પુસ્તક શાળા, નાગર નિરાશ્રિત ફંડ, નાગર નિશાળ વગેરે સંસ્થાઓ સ્થાપેલી. ઈ. સ. ૧૮૮૪માં મુંબઈ યુનિવર્સિટીને રૂપિયા ત્રણ હજાર આપી એક ઑલરશીપ પણ આપેલી. તેમણે ગિરનાર ઉપર ધર્મશાળા બંધાવી અને પિતાના ઘર પાસે ભૂતનાથ મહાદેવનું મંદિર બાંધ્યું. - નરસિંહ પુસ્તકાલય
શ્રી નરસિંહપ્રસાદ જયારે એજન્સીમાં સેવા આપતા ત્યારે તેના ઉપરી અધિકારી કર્નલ બાર સાથેના પરિચયને કારણે પુસ્તકાલય પ્રવૃત્તિ પ્રત્યે આકર્ષાયા અને તેમણે જૂનાગઢમાં એક પુસ્તકાલય સ્થાપવા માટે સંકલ્પ કરેલો. ત્યારે જૂનાગઢમાં રાજયનું પુસ્તકાલય ન હતું. શ્રી. નરસિંહપ્રસાદે ઈ. સ. ૧૮૭૧માં પોતાના ડેલામાં ૩૫૦૦ કેરીના ખર્ચે મકાન બંધાવી તેમાં ૧૦૦૦ કેરીનું નિચર તથા ૮૦૦૦ કેરીનાં પુસ્તકો વસાવી તા. ૧ર-૧-૧૮૭૧ ના રેજ સુજ્ઞ ગોકુલજી સંપતિરામ ઝાલાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાવ્યું. આ પ્રસંગે પાછળથી વડોદરા રાજયના દીવાન પદે પહોંચેલા શ્રી. મણિભાઈ જશભાઈ, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, શ્રી રાજારામ બુચ વગેરે વક્તાઓએ આ પ્રવૃત્તિ અને પ્રયાસ માટે પ્રશંસાયુક્ત પ્રવચને કરેલાં. વેદમૂર્તિ શ્રી વલ્લભજી
1 પેરેટ ગેલેરી ઓફ વેસ્ટ ઇન્ડિયા-શ્રી આર. એ. જાલભાઇના આધારે 2 કવિ દલપતરામે નરસિંહપ્રસાદને તેના કાવ્યમાં સુંદર અંજલિ આપી છે.