SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ : જૂનાગઢ અને ગિરનાર હરિદત આચાર્ય વિદુરનીતિના કલેકે વાંચી સમજાવેલા અને શ્રી સુંદરજી મહેતાજીએ પ્રવાસ વર્ણન વાંચેલાં. આ પુસ્તકાલયમાં, ઉદ્દઘાટન પ્રસંગે ૧૯૨ સંત, ૧૫૪ ગુજરાતી, ૧૭૪ અંગ્રેજી, મરાઠી, ફારસી વગેરે મળીને કુલ ૬૨૦ પુસ્તકે, વ્યાકરણ, વેદાંત, વેદ, ધર્મશાસ્ત્રો, આયુર્વેદ, કાવ્ય, નાટક, શબ્દકોશ, અલંકારશાસ્ત્ર આદિ -વિષયને લગતાં હતાં. આ ઉપરાંત શરીરશાસ્ત્ર, યેગાસને, યાંત્રિક ક્રિયાઓ વગેરેના ચાર્ટ હતા. આ પુસ્તકાલયને પ્રથમ વર્ષમાં ૬૪ વાચકોએ લાભ લીધેલ. પુસ્તકાલયના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી નરસિંહપ્રસાદે આ પુસ્તકાલયને વિકાસ થાય અને તેને ઉપયોગ વધારેને વધારે વાચકે કરતા રહે તેવી ઈચ્છા પ્રદર્શિત કરેલી. અને તે પ્રસંગે ઉપસ્થિત રહેલા સર્વશ્રી મણિભાઈ જશભાઈ, વલભજી હરિદત્ત આચાર્ય, ડે. અમીદાસ મનજી, કલ્યાણરાય માસ્તર, રેવાશંકર માસ્તર, સુંદરજી મહેતાજી, લલ્લુભાઈ મહેતાજી, અમરજી આણંદજી કચ્છી, વિજયશંકર, જીવાભાઈ, માધવરાય કીકાણ તથા રાજારામ બુચ તેમાં સહકાર આપે તેવી પણ ભાવના વ્યક્ત કરેલી. નગર નિશાળ શ્રી નરસિંહપ્રસાદે નાગરે તેમનાં બાળકોને ઉચ્ચ કેળવણી માટે પ્રારંભિક ભૂમિકા તૈયાર થાય અને વિશિષ્ટ સંસ્કારનું બાળકોમાં સિંચન થાય તે માટે ઈ. સ. ૧૮૮૦માં એક નાગર નિશાળની સ્થાપના કરી. ઉદ્દઘાટન પ્રસંગે તેમાં ૪૮ બાળકેએ પ્રવેશ મેળવેલે. પ્રિન્સ ઓફ વેલ્સ ગંભીર માંદગીમાંથી પ્રિન્સ ઓફ વેલસ એઠવર્ડ બચી જતાં નવાબે પ્રભુને પાઠ માનવા સર્વે ધર્મોના લેકે એ પિત પિતાના ધર્મ સ્થાનમાં પ્રાર્થનાસભા જવા આજ્ઞા કરતાં તા ૪-૮-૧૮૭૨ના રોજ આવી પ્રાર્થનાઓ કરવામાં આવી. કુદરતી આફત - ઈ. સ. ૧૮૫૭ તથા ઈ. સ. ૧૮૬૧ એ બે વર્ષે દુકાળનાં હતાં ઈ. સ. ૧૮૬૯ના ઓકટોબરમાં પ્રથમ વખત તીડોનાં ટોળાંએ પુષ્કળ નુકસાન કર્યું. તે જ વર્ષે દીવાળીના ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પવનનાં તેફાને ઘણું નુકસાન કર્યું. જૂનાગઢ શહેરના ઘણુ ભામાં પાણી ફરી વળ્યું.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy