________________
૨૩૦ જાનાગઢ અને ગિરનાર ભાયાતની ફરિયાદ સાંભળી એજન્સી દરમ્યાનગીરી કરી શકે કે નહિ તે પ્રશ્નની ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાને અંતે ગવર્નરે શ્રી ગોકુલજી ઝાલાનું વક્તવ્ય સાંભળી પુષ્કળ પ્રશંસા કરી કહ્યું કે, “તેઓ તેમની સાથેની મિટીંગથી ઘણા જ ખુશ થયા છે. તેની શક્તિ, જ્ઞાન, અનુભવ અને રાજનીતિ ઘણાં જ પ્રશંસા પાત્ર છે. ગવર્નરે વિશેષમાં એમ પણ કહેલું કે “તેણે ઉમેરવું જોઈએ કે તેમના પ્રવક્તા ગોકુલજી ઝાલાની કક્ષાની ચર્ચા વિચારણા કરનારા વિવાદકે તેમણે બહુ ઓછા જોયા છે.” - આ પ્રતિભાસંપન્ન વિદ્વાન અને વિચારક રાજપુરુષને ઈ. સ. ૧૮૭૮ના નવેમ્બર માસની ર૦મી તારીખે જૂનાગઢમાં દહન થયો. શ્રી નરસિંહપ્રસાદ બુચ
- આ સમયના રાજપુરુષોમાં શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બુચનું સ્થાન ઘણું જ ઊંચું અને આગળ પડતું છે. તેઓ માત્ર એક કુશળ વહીવટકર્તા જ નહિ પણ વિદ્વાન હતા અને વિદ્યાના પ્રચાર માટે પુષ્કળ પરિશ્રમ અને ધનવ્યય કરનારા એક વિરલ પુરુષ હતા.' - તેમના પૂર્વજ મહદેવ બૂથ જામનગરમાં રહેતા ત્યાંથી જૂનાગઢ આવેલા.
તેના પૌત્ર રામજી બુચે જુનાગઢમાં વ્યાપારની મોટી પેઢી સ્થાપી તથા કોડીનાર મહાલને ઇજારે રાખે. તેના પુત્ર અંબાશંકરના પુત્ર હરિપ્રસાદ શરાફી પેઢી
સ્થાપી અને તે સાથે એજન્સીના અંગ્રેજ અધિકારીઓના સંપર્કમાં આવતાં લીમડી રાજ્યના મેનેજર પદે નિયુક્ત થયા. તેમના પુત્ર નરસિંહપ્રસાદ તેને જન્મ તા. ૧૮-૧૨-૧૮૨૭ના રોજ થયો અને ઈ. સ. ૧૮૪૬માં તે પાટણ વહીવટદાર પદે નિમાયા. ઈસ. ૧૮૪૭માં તેની કાર્યક્ષમતા અને બુદ્ધિ શક્તિ જોઈ તેને નવાબે પિતાના રહસ્ય મંત્રી તરીકે નિમ્યા. ઈ. સ. ૧૮૪૯માં તેમણે પોરબંદર જૂનાગઢ રાજ્ય વચ્ચે ચાલતા આજક-મેખડી-માધુપુર કેસમાં સફળ રજૂઆત કરી, તેથી તેની નિમણુક ઈ સ. ૧૮૫૧માં રાજકોટ ખાતેના જૂનાગઢ રાજ્યના સ્ટેટ વકીલ તરીકે કરવામાં આવી. તેમની પ્રતિભા અને કાર્યદક્ષતાથી અંગ્રેજ અમલદારે પ્રભાવિત થયા અને રાજ્યની નોકરી છોડાવી એજન્સીમાં ઈ. સ. ૧૯૫૩માં આસિ. પિોલિટિકલ એજન્ટના શિરસ્તેદારની જગ્યાએ તેમની નિમણુક કરી ઈ. સ૧૮૫૭માં લીમડાના કાકર તથા રાજમાતા
1 શ્રી જીતેન્દ્રપ્રસાદ, શ્રી અમ્યુતપ્રસાદ તથા શ્રી કૌસ્તુભપ્રસાદના પિતામહ