________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : રર દીવાનપદનું રાજીનામું આપ્યું. આ રાજીનામું નવાબે નામંજૂર કર્યું પણ તે સાથે જ ગે કુલજી ઝાલાની જોઇન્ટ દીવાન તરીકે નિમણૂક કરી. ઈ. સ. ૧૮૭૮માં સાલેહ હિન્દીએ ફરીથી રાજીનામું આપતાં, ગોકુલજી ઝાલા યુનઃ મુખ્ય દીવાનપદે નિમાયા. ઈ. સ. ૧૮૭૯માં તેઓ ગુજરી ગયા અને નવાબે જમાદાર સાલેહ હિન્દીને પુનઃ દીવાનપદ આપ્યું. તેઓ નવાબ મહાબતખાનના
ત્યુ ૫રત દીવા પદે રહ્યા. દીવાન ગેકુલજી ઝાલા
સુજ્ઞ વેદાંતી તરીકે વિદ્વાનોમાં જાણીતા થયેલા ખસુસીયત દસ્તગાહ રાવ બહાદુર દીવાન ગોકુલ સંપત્તિરામ ઝાલાને જન્મ વિ. સં. ૧૮૮૦ના અષાડ વદી ના જ બાબી વંશના સ્થાપક શેરખાનના દીવાન જગન્નાથ ઝાલાના ભાઈ રૂદ્રજી ઝાલાના પ્રપૌત્ર સંપત્તિરામ ઝાલાને ત્યાં થયો હતો. તેમની પંદર વર્ષની વય થઈ ત્યારે નવાબ હામદખાનના રહસ્ય સચિવ ભવાનીદાસ ઉર્ફે ભગુ મહેતાએ, નવાબને તેના ઉત્તરાધિકારી તરીકે ગોકુલજીને નીમવા તથા પિતાને નિવૃત્ત કરવા વિનંતી કરી. નવાબે આ વિનંતી માન્ય રાખી તેમને ભગુ મહેતા નીચે કામથી માહિતગાર થવા નીમ્યા. - નવાબ હામદખાનજીના મૃત્યુ પછી, નવાબ મહાબતખાન ગાદીએ આવ્યા, તે સગીર હોવાથી તેમને વિદ્યાભ્યાસ કરાવવા નિયુક્ત થયેલા શિક્ષક પ્રાણલાલ મથુરદાસ જ્યારે નવાબને શિક્ષણ આપે ત્યારે ગોકુલજીને ત્યાં બેસવાની ફરજ હતી. આ રીતે નવાબ વિદ્યાભ્યાસ કરે તેની પાસે બેસીને, સાંભળીને તેણે અંગ્રેજી અને ગણિતને આપ મેળે અભ્યાસ કર્યો. પ્રાણલાલ તેની મૂળ જગ્યાએ પાછા ફર્યા ત્યારે તેના સ્થાને સુરતના નાગર સોમનારાયણ નરનારાયણ નિમાયા. ગોકુલજી તેના પરિચયમાં આવતાં, તેમના આગ્રહથી તે બને મૌલવી મહમદઅલી પાસે ફારસી ભણ્યા. - ઈ. સ. ૧૮૬૧માં તેઓ દીવાન થયા. તેમણે તેમની પ્રતિભા, અતુલ શક્તિ અને દીર્ધદષ્ટિથી, રાજ્યને પ્રથમ કક્ષાનું તંત્ર આપ્યું. નવાબે તેના પૂર્વજને જે ખિતાબ હતો તે ખિતાબ ખસુસીયત દસ્તગાહ (અર્થાત રાજયને જમણે હાથ) તેને આ. બ્રિટિશ સરકારે તેમને ઈ. સ. ૧૮૭૭માં રાવ બહાદુરને ચંદ્રક આપ્યો અને તેમના અગાધ જ્ઞાન અને લેખન તેમજ વક્તવ્યથી વિદ્વાનમાં તે સુજ્ઞ વેદાંતી તરીકે આદર પામ્યા.
ઈ. સ. ૧૮૭૦માં મુંબઈના ગવર્નર સર એસ. ફેટસજીરાહે સમસ્ત સૌરાષ્ટ્રનાં રાજ્યોની એક પરિષદ મુંબઈ મુકામે બોલાવેલી તથા તેમાં રાજના