________________
૨૨૮ : જૂનાગઢ અને ગિરનાર
ગોકુલજી, બહાઉદ્દીનભાઈ સાલેહ હિન્દી અને નરસિંહપ્રસાદ રાજ્યના ચાર સ્થંભો છે અને જ્યાં સુધી તેઓ એક સંપથી કામ કરશે ત્યાં સુધી રાજ આબાદ રહેશે. , આ કાઉન્સિલને “સભા” નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૮૭૪માં તે સમયના પિોલિટિકલ એજન્ટ મિ ડબલ્યુ એન્ડરસને નવાબ મહાબતખાનને દીવાન ગોકુલજીને દૂર કરવા લખ્યું અને જ્યારે નવાબે આનાકાની કરી ત્યારે દબાણ શરૂ કર્યું. ગોકુલજી ઝાલાએ નવાબને એજન્સીની ખફગીમાંથી બચાવી લેવા પિતાનું રાજીનામું ધરી દીધું.
ગોકુલજી, તે કાલના સૌરાષ્ટ્રના રાજ્યોના દીવાનોમાં કદાય સર્વક રાજપુરુષ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા અને એજન્સી, જૂનાગઢ રાજ્ય ઉપર જે પ્રકારનું વર્ચસ્વ બેસાડવા માગતી હતી તેમાં અંતરાયરૂપ હતા તેથી જ તેને છૂટા કરવા એજન્સીએ નવાબને આગ્રહ કર્યો હતે. ગોકુલજીએ જૂનાગઢ રાજયમાં આધુનિક પદ્ધતિનું તંત્ર સ્થાપ્યું હતું અને તેણે રાજ્યમાં જે સુધારાઓ કર્યા હતા તેવા સુધારા એજન્સીની સીધી દેખરેખ નીચેનાં નાનાં રાજ્યો અને તાલુકાઓમાં કે અન્ય રાજ્યોમાં થઈ શકેલા નહિ. ગોકુલજીએ બુદ્ધિપૂર્વક અપાર શ્રમ લઈ, રાજકર્તા, તેના કૃપાપાત્ર અમીર અને અધિકારીઓને તથા અન્ય તને સમજવી, દૌય અને કુનેહથી આ દયેયને સિદ્ધ કરી, જૂનાગઢ રાજ્યને પ્રગતિશીલ અને આદર્શ રાજ્ય બનાવવાની દિશા તરફ પગલાં ભર્યા હતાં. દીવાને
ગોકુલજી ઝાલા છૂટા થતાં નવાબે જમાદાર સાલેહ હિન્દીને દીવાનપદે નિયુક્ત કર્યા, પરંતુ રાજ્યતંત્રમાં ગોકુલજીની ગેરહાજરી સ્પષ્ટ રીતે પ્રતીત થવા લાગી તેથી ઈ. સ. ૧૮૭૫માં નવાબે એક રાખ્યાજ્ઞા પ્રસિદ્ધ કરી, એક નવી કાઉન્સિલની રચના કરી. તે આજ્ઞામાં તેણે જણાવ્યું કે, “બહાઉદ્દીનભાઈ મારી પાસે રહે છે અને ફેરવણીખાતાને અધિકાર ભોગવે છે તેથી ખસીયત દગાહ ગોકુલજી ઝાલાની નીમણૂક રાજય કારોબારીના મેમ્બર તરીકે કરવામાં આવે છે. તેણે રેવન્યુ ખ તું, ઊપજખર્ચની દેખરેખ, મુલકી ખાતું તથા આબાદી ખાતા ઉપર ધ્યાન રાખવું. ઈજજત આસાર નરસિંહપ્રસાદ હરિપ્રસાદ ન્યાય ખાતું તથા જમાનાને છાજતાં દરેક કામ કરે અને જમાદાર સાલેહની બાજુમાં મદદગાર રહે.”. - આ ઠરાવ પ્રસિદ્ધ થયા પછી બે માસમાં જ જમાદાર સાલેહ હિન્દીએ