________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૨૭
આ મકાને ઉપરાંત નવાબ મહાબતખાને, મોટા કેડાર, લાલ રસાલા, પીળા રસાલા, દફતરખાનું, હેસ્પિટલ, મહેમાનદારી, હાઈસ્કૂલ, અદાલત (હાલમાં પોસ્ટ ઓફિસ પાસે એકઝિકયુટિવ એન્જિનિયરની ઓફિસ છે તે), માંડવી, લાન્સર્સ, નવા ઉતારા, (શાહપુર દરવાજે હેડ કવાર્ટર છે ત્યાં), હમામ, ટંકશાળ પાયદળ વગેરે મકાને તથા ચાર મુસાફરખાનાં બંધાવ્યાં.
આ સિવાય બારા શહીદની મસ્જિદ સર્કલ પાછળની મસ્જિદ મુસાફરખાનાની મસિજદ વગેરે ધાર્મિક ઈમારતે પણ તેણે બાંધી. મૃત્યુ પછી શાશ્વાત આરામ માટે નવાબ મહાબતખાને જે જગ્યા મુકરર કરી હતી ત્યાં મકબરે બંધાય તે પહેલાં તે ગુજરી ગયા પણ તેમને ત્યાં જ દફન કર્યા, અને ત્યાં પાછળથી મહાબત મકબરા નામનું મકાન બંધાયું.
વેરાવળમાં બંદરને ધક્કો, ન ઉતારો, ભંડુરીની ધર્મશાળા પણ નવાબ મહાબતખાને બંધાવ્યાં અને વંથળી સુધી પાકે માર્ગ, લોલ નદી ઉપરને બાર્ટન બ્રિજ, સોનરખ ઉપર પુલ વગેરે કામો પણ તેના સમયમાં થયાં. રાજ્યતંત્ર - ઈ. સ. ૧૮૫રમાં નવાબ મહાબતખાનજી ગાદીએ બેઠા ત્યારે દીવાનપદે અનંતજી અમરચંદ વસાવડા હતા. તે પછી ડુંગરશી દેવશી દીવાન થયા અને તે પછી ઈ. સ. ૧૮૬૧માં કુલ સંપત્તિરામ ઝાલા દીવાનપદે આવ્યા. - ઈ. સ. ૧૮૬૨માં જમાદાર બહાઉદીનભાઈને વરજીપદ આપવામાં આવ્યું અને તે સાથે રાજકર્તા પાસે રહેવી જોઈએ તેવી અસાધારણ સત્તાઓ તેને આપવામાં આવી. જમાદાર સાલેહ હિન્દીને પણ વરિષ્ઠ સત્તાઓ સોંપવામાં આવી. તે સાથે એજન્સીની નોકરીમાંથી રાજ્યસેવામાં પ્રવેશેલા શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂથને પણ પણ ઊંચે હેદો આપવામાં આવ્યો અને આ ચારે અધિકારીઓ એક મત મેળવી કામ કરતા થયા. તે ઉપરથી ઈ સ. ૧૮૬૭માં પોલિટિકલ એજન્ટ કર્નલ કીટીજે નવાબને લખ્યું કે, “સર્વશ્રી
-
-
(અનુસંધાન ૨૨૬નું અધુરૂ).
સુધારી લેશે તેવી નેટિસ આપી. અને તે દુધને લઈ તેમાંથી ૨૪ દુકાને કરી તેમાંથી ૭ દુકાને સરકારે રાખી બાકીની ૧૭ રયાસત તથા રેચતના લોકોને આપી. તેને નવેસરથી બાંધવાનો ખર્ચ પણ ૨૪ ભાગે ફાળવી લેવામાં આવ્યો -સૌરાષ્ટ્ર દર્પણ, એક. ૧૮૭૨
. (જૂને અહેવાલ પુનઃ મુદ્રિત)