________________
૨૨૬ : જૂનાગઢ અને ગિરનાર
હતી. તેણે તેને સુૌંદર અને વિશાળ મકાનો બાંધવા માટે પ્રત્સાહન અને મા દર્શન આપ્યું હતું.
નવાબે કચેરીના મહેલ અને આયના મહેલ બાંધ્યાં કળાના અનુપમ પ્રતીક જેવા આ સુંદર મહાલયમાં અંદર અને બહાર ઘણા રાખવામાં આવેલાં અને તેની પાસે દીકે રાખી રાશની કરવામાં આવતી. તે પછી ખાસી કચેરી બાંધી તેમાં વિવિધ પ્રકારનું વિદેશી ફ્રનિચર વસાવ્યું. નવાબે વંથળી દરવાજા પાસે હવેલી તથા કરાશખાનાનું મકાન પણ બંધાવ્યાં. વતમાન સિટી રાજમહેલ પણ તેણે બંધાવ્યો અને તે ઉપરાંત સરદારબાગના મહેલ અને સકરબાગ, માત્તીબાગ, પાઈબાગ, પરિતળાવ વગેરે પણ બાંધ્યાં ૐ વિકસાવ્યાં. તે ભાગામાં નવાબ મહાબતખાને ભારતના જુદા જુદા ભાગે માંથી કલમી અને તુમ્મી આંબાની કલમા કે ગાલા મગાવી તેમાં ચપાવ્યાં તથા હાલમાં જે કેસર કેરી કહેવાય છે તેનું તેણે સાલેમાઈની આમડી નામ આપી તેને પ્રચલિત કરી.
બુજારા રોાભાયમાન ન હેય તા રાજમહેલાની શાભા અપૂર્ણ જણાય તે વિચારે બજાર પહેાળી કરી. આજે સ`લચાક છે ત્યાં ચાંદની ચોક કહેવાતા ત્યાં મહાબત સર્કલ બનાવ્યું. ત્યાંથી દક્ષિણ તરફ દીવાન ચાક અને મહાબત સકલથી ઉત્તરે માંડવી ચેાક બનાવી તે ચેકથી વચ્ચેના માર્ગોની બન્ને બાજુએ એક જ ઘાટનાં અને સપ્રમાણ સુંદર મકાન બાંધી તેની નીચે દુકાનેા કાઢી વ્યાપારીઓને ભાડે આપી. આજ પણ આ સરકારી મકાનાની દુકાના વેપારીઓ પાસે ભાડે છે. બારામાં ગેસની ખત્તોએ મૂકી પ્રકાશ પાથરી તેને આકષ ક બનાવી. 1
1 સર્કલ ચાકનું ખાતમુર્હુત વિ.સ’. ૧૯૨૮ના વૈશાખ વદી ૫ તા. ૨૭-૫-૧૮૭૨ના રાજ પેાલિટિક્સ એજન્ટ મિ. એન્ડરસનના હાથે થયું, તેના પ્લાન એજન્સી એન્જિનિયર મિ. બ્લેકીએ કર્યો હતા. આ પ્રસંગે શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ ખૂંચે ભાષણ કરતાં કહ્યું હતું કે, આ સ્થળે મહેલ બનાવવા હતા પરંતુ હલકી કાપડની દુકાનેા તથા સુતારની • કોડ આ મહેલ અને રંગમહેલની વચમાં આવી જતી હતી તેથી શહેર સુધરાઇ તરફ્થી જમાદાર સાલેહ હિન્દીએ વિ. સ. ૧૯૨૬ના પાષ સુદી ૧૦ની તારીખથી જાહેર ખબર છપાવી ખારની હદ મુકરર કરી તે પ્રમાણે દક્ષિણે રૂપા જોશીની દુકાન, ઉત્તરે માટી બજાર તથા ગુજરીગર મહારાજની હવેલી, પૂર્વે નગારખાનું તથા પશ્ચિમે ખેાનખાનાની હ બાંધી. તે પછી વિ. સ’. ૧૯૨૭ના જેઠની ૧૭મી તારીખના જાહેરનામાથી ૧૫ દુકાને જે આશરે ૨૯૮૬ ફીટના વિસ્તારમાં હતી તે સુધારી લેવા અને ન સુધરે તેા રાજ્ય વધુ માટે જુએ પાનું ૨૨૭