SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી વંશ-ઉત્તરાધ : ૨૨૫ ટકશાળ જૂનાગઢ રાજ્યમાં ટંકશાળ નામનું ખાતું હતું. આ ટંકશાળ, ખાતું નાણાં તંત્ર સંભાળતું અને રાજ્યની વસૂલાતની રકમનું ભરણું પણ ત્યાં થતું અને લેાન વગેરે પણ ટંકશાળમાંથી અપાતી; તે ઉપરાંત ટંકશાળના એક વિભાગમાં કરીએ, અધી કારી તથા દેકડાઓ વગેરે છપાતાં ઈ. સ. ૧૮૭૬માં પ્રયોગ દાખલ સાનાની કારીએ પાડવામાં આવેલી પણ તે પ્રયોગ સફળ ન થતાં તે બંધ કરી. ટકશાળ દીવાન અમરજીના નિવાસસ્થાનમાં હતી તેમ સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ એફ જૂનાગઢમાં જણાવ્યું છે પણ ત્યાં રાકડ રકમના ખજાના રહેતે. દીવાનજીના મૃત્યુ પછી તે પણ અન્યત્ર ખસેડી લેવામાં આવેલ કારીની કીંમત વધતી ઘટતી રહેતી. નગર આયેાજન જૂના શહેરમાં નવાં મકાના બનાવવા તથા રસ્તા પહેાળા કવાનું આવશ્યક જણાતાં નગર વિકાસની એક ચેાજના બ્રિટિશ સર્વિસના સિવિલ એન્જિનિયર મિ. વાલ્ટર બ્લેકીને રાજ્યસેવામાં ખાલાવી તેના પાસે તૈયાર કરાવવામાં આવી. જૂનાગઢના કિલ્લા બહાર પુષ્કળ જગ્યા પડતર હતી પણ ત્યાં લાક રહેવા જતા નહિ તેથી કાળવાના કાંઠાની અને તળાવ તરફની કિલ્લાની દીવાલેા તાડી તે પડતર જમીન અદર લઈ નગર વિસ્તાર વધારવામાં આવ્યા. આજના કિલ્લા અંદરના દક્ષિણ-પશ્ચિમ તરફના ભાગ ત્યારે અંદર લેવામાં આવ્યા.2 મકાન-મહાલય મહાબતખાનજી ખીજા, સારાં અને આલીશાન મકાના બાંધવાના શોખીન હતા. ભારતના પ્રવાસ દરમ્યાન તેણે દિલ્હી, આગ્રા, જયપુર વગેરેના રાજમહેલા અને અન્ય મકાના જોઈ તેવાં મકાના જૂનાગઢમાં બાંધવા માટે વિચાયું. એમ પણુ લેાકવાયકા છે કે, નવાબની એક કૃપાપાત્ર તવાયફ્ ઉત્તર હિન્દુસ્તાનની 1 ખાખી લસ ઓફ સા૪--ઈ. સ ૧૯૮૨માં ઘેાડી સાનાની કારીઆ પાડી હોવાનું જણાય છે, ઇ. સ ૧૮૭૪માં ૩.૩/૪ કારીના એક રૂપિયા થતા. તેમાં ૧૧/૨ વાલ ચાંદી અને ૪૧/ર વાલ ત્રાંબું હતું. 2 વિગતા માટે જુએ પ્રકરણ પહેલુ. જૂ ગિ.-૨
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy