SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ રર૧ આવ્યા; અદાલતની પણ સ્થાપના કરવામાં આવી. રેકર્ડની સાચવણી અને તારવણી માટે પણ નિયમો ઘડવામાં આવ્યા. તે ઉપરાંત નીચેનાં ખાતાંઓ ઉઘાડવામાં આવ્યાં. ૧ હઝુર ર મુલ્કી દફતર ૩ તીજુરી ૪ ટપાલ ખાતું ૫ જેલ ખાતું ૬ પિોલીસ ખાતું 9 કેળવણ ખાતું ૮ હાઈસ્કૂલ ૮ ૯ લશ્કર ૧૦ તાપ ખાતું ૧૧ સુધરાઈ ૧૨ જંગલ ૧૩ વસૂલાતી દફતર ૧૪ આબકારી ખાતું ૧૫ નિમક ખાતું ૧૬ રજિસ્ટ્રેશન ખાતું ૧૭ રજવાડી દફતર ૧૮ રાજ પ્રકરણ દફતર ૧૯ ભાયાતી કટ ૨૦ છાપખાનું-ગેઝેટ, એજન્સીની હકૂમત સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ તેનાં પ્રારંભનાં વર્ષોમાં રાધે રાજ્ય અને ગામે ગામના સરહદી ઝઘડાઓ પંચ દ્વારા પતાવવામાં આવતા અથવા ભાટ ચારણે કે સાધુ ફકીરોનાં વચન કે સોગન ખાઈ ખવરાવી નક્કી થતા. આ પદ્ધતિ બંધ થઈ અને અદાલત અને કમિશનર દ્વારા આ ફેંસલાઓ પતાવવાને શિરસ્તા પાડવામાં આવ્યા. રાયે જુદી જુદી વખતે પ્રજાની સગવડ અને સુવિધા માટે તેમજ રાજ્યની ગ્ય માર્ગે આવક વધારવા સુધારાઓ કર્યા. જકાત ઈ. સ. ૧૮૬૪ના ઓગસ્ટ માસની ૧૧મી તારીખે રાજ્ય એક ઠરાવ બહાર પાડી ચલાઉ માલની જકાત કાઢી નાખી મુક્ત વ્યાપારને ઉરોજન આપ્યું. બંદર યુરોપનાં અને એશિયાનાં બંદરેથી આવતી ટીમો વેરાવળમાં નગરતી થઈ ગઈ તેથી ત્યાંની બંદરી જકાત પ્રભાસપાટણના દેશ ઈઓ હસ્તક હતી તે હક્ક વગર વળતરે લઈ રાજ્ય બંદરી-તરી જકાતને વહીવટ હાથમાં લીધો. આવક વધી જતાં અને માલની હેરફેર પણ વધતાં બંદરને વિકાસ આવશ્યક બનતાં બ્રિટિશ સરકારના સમુદ્ર એન્જિનિયર મિ. બેલીઅલ સ્કેટની સેવાઓ ઉછીની લઈ, બંદરના વિકાસ માટેની યોજના તેની પાસે તૈયાર કરાવી. મિ. આટની યોજના પાછળ ચાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા પણ કમભાગ્યે તે સફળ થઈ નહિ અને “આ મેટી રકમ સમુદ્રના પાણીમાં તણાઈ ગઈ.'
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy