SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ : જૂનાગઢ અને ગિરનાર કજે કરી સત્તા હસ્તગત કરવા પ્રયાસ કર્યો. આ કાવત્રુ પકડાઈ જતાં જવ બદાર માણસે સામે કામ ચલાવવામાં આવ્યું અને ઈ. સ. ૧૮૬૭ માં અબ્દલા ખાન, મેડ તથા અલીને દશ વર્ષની અબ્દુલા જમાલખાન તથા હસન મસ્કતીને સાત વર્ષની, હસન અને આલમને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા કરવામાં આવી, બીજાઓને દંડની કે સારી ચાલના જામીન આપવાની સજા થઈ. ખટપટ નવાબના ભાયાત બાબી મુબારિઝખાને નવાબને તેના મંત્રીઓ કેદમાં રાખી મનસ્વી વહીવટ કરે છે એવી વાતો દાદુ તથા નરભેશ કર નામના શાની સહાયથી જાહેરમાં ફેલાવતાં તથા તે કાર્યમાં મુંબઈના કેઈ અંગ્રેજો સહકાર મેળવી આ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ લઈ જતાં મોટે ઊડાહ કર્યો. રાજ આ ત્રણે શખ્સોની ધરપકડ કરી, તેના ઉપર કામ ચલાવી મુબારિઝખાનને અઢાર માસની કેદ તથા કોરી બે હજારને દંડ કર્યો. દાદુના સારી ચાલના જામીન લીધા અને નરભેશંકરને નિર્દોષ ઠરાવ્યો. વિપ્લવવાદી પઠાણ ઈ. સ. ૧૮૭૬ના બ્રિટિશ સરકાર તથા અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ કાટી નીકળ્યું ત્યારે જામનગરમાં રહેતા એક કાબુલી પઠાણે વઝીર બહાઉદીનભાઈને બ્રિટિશ રાજ સામે વિપ્લવ કરવા પત્ર લખ્યો. તેણે પઠાણને જૂનાગઢ બોલાવી પરહેજ કરી બ્રિટિશ સરકારના સત્તાવાળાઓને સોંપી દીધા. ખુમાણેનું સમાધાન ઈ. સ. ૧૮૭૯માં ભેસાણ તાબાના ગામ ચાવંડના ખુમાણાએ જેઠસુર ખુમાણની આગેવાની નીચે ખી–માખીની ધારમાં એકત્ર થઈ મોટું બહારવટું કરવા પ્રવૃત્તિ કરી પરંતુ જમાદાર મુબારક અને સર્વેશ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચ, રણછઠછ મયાશંકર અને ત્રિભોવનદાસ તુલસીદાસ ચાવંડ ગયા અને ખુમાણેને સમજાવી તેમનું સમાધાન કર્યું. માંગરોળ કમિશન માંગરોળના શેખ બદરૂદ્દીને માંગરોળ તાલુકે જૂનાગઢથી સ્વતંત્ર છે એ દાવો કર્યો. પોલિટિકલ એજન્ટ મિ. (પાછળથી સર) જે. બી. પીલે તપાસ શરૂ કરી. તે કામમાં શેખે એક બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો તેથી તેના ઉપર ફર્જરીને ચા મૂકવામાં આવ્યો અને મેજર ફિલિપ્સ, મિ. એચ. એફ. આસ્ટન અને રાવ બહાદુર શંભુપ્રસાદ લમલાલનું બનેલું એક કમિશન
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy