________________
ખાખી વંશ–ઉત્તરાધ : ૨૧૭
નીમવામાં આવ્યું. આ કમિશન તેનું કાર્ય શરૂ કરે તે પહેલાં શેખ બદરુદીને આપધાત કર્યાં તેથી તેના અનુગામી શેખ હુસેનમિયાંએ વિવાદ પાછા ખેચી લીધા અને જૂનાગઢ રાજયે ઈ. સ. ૧૮૭૯માં તેનાં સ્વાંગ ગામેા પૂરતા માંગરાળને ખીજા દરજ્જાના રાજ્યના અધિકારા આપ્યા. ત્યારથી માંગરાળ જૂનાગઢના રાજ્યને આધીન રહ્યું.
શેખ હુસૈનમિયાંના તા. ૨૧-૯-૧૯૦૭ ના રાજ દેહાંત થયા ત્યારે જૂનાગઢ રાજ્યે તેના ઉપર જપ્તી મૂકી અને તેના ભાઈ જહાંગીરમિયાંના ગાદી ઉપરના હક્ક સ્વીકારી તેને અધિકાર સુપ્રત કર્યાં. તે જ પ્રમાણે તેના વારસ શેખ અબ્દુલ ખાલીક તથા તેના મૃત્યુ પછી શેખ નાસરમિયાંને પણુ જૂનાગઢ રાજયે જ સ્વીકૃતિ આપેલી.
માંગરોળ સ્ટેટ કહેવાતું નિહ. તેને તાલુકા તરીકે જ ઓળખવામાં આવતું અને શેખ જૂનાગઢના તાબેદાર ‘વાસલ' ગણવામાં આવતા. માંગળના શેખ, સાભૌમ સત્તા સાથે કાઈપણ કારણસર સીધો પત્રવ્યવહાર કરી શકતા નહિ. સાર્વભૌમ સત્તાને મદદ
ઈ. સ. ૧૮૬૭માં ઈંગ્લાંડ અને એબિસિનિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં જૂનાગઢ રાજ્યે કેટલાંક મુચ્ચરો અને ત્રીસ લાખ પાઉન્ડ ધાસ શાહી સત્તાને આપ્યુ..
ઈ. સ. ૧૮૭૯માં કાજીલ વિગ્રહ વખતે જૂનાગઢ રાજ્યે ૧૫૦ પાયદળ, ૫૦ સવારે। અને ૧૫૦ ખચ્ચરમાં શાહી સત્તાની મદદમાં માકમાં તથા રૂા. ૧૦૨૩૬-૬-૦ વાર ક્રૂ'ડમાં આપ્યા. આ સમયે પ્રજા પાસેથી પણ મોટુ ક્રૂડ ઉધરાવી માકલ્યું.
રાજ્ય બહારની સસ્થાઓને મદદ
જૂનાગઢ રાજ્યે રાજ્ય બહારની સંસ્થાઓને આ નવાબના સમયમાં આર્થિક સહાય કરી તેમાંની નોંધપાત્ર નીચે પ્રમાણે છે.
રાજકોટ: નિશાળા, હાઈસ્કૂલ, એન્જિનિયરિંગ સ્કૂલ, આર્ટસ સ્કૂલ,
1. માંગરાળના ઇતિહાસમાં આ વાત સ્વીકારવામાં આવી નથી. તે પ્રમાણે શેખ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા.
જુ. ગિ.-૨૮