________________
૨૧૪ જૂનાગઢ અને ગિરનાર
કહી. વાજી ગોહિલ અને હામદપરાને કચરે મેર બહારવટે ચડયા. તેમાંના કેટલાક ભરાઈ ગયા અને કેટલાક પકડાઈ ગયા.
ઈ. સ. ૧૮૫૩માં ગીગા મૈયો બહારવટે હતો ત્યારે ઈશ્વરિયાના જુણેજા સંધી તથા ગંડલના ગામના રબારીઓ વચ્ચે વેર બંધાતાં સામસામા બહારવટે ચડયા. ભાયાવદર તાબાના ભાલવડ ગામે ભયંકર ધિંગાણું થતા ઉભય પક્ષના ઘણાં માણસો મરાઈ ગયાં. પ્રજાને થતી કનડગતને કારણે દીવાન અનંતજીએ વચ્ચે પડી બન્ને પક્ષોનું સમાધાન કરાવ્યું. - ઈ. સ. ૧૮૫૪માં ઈસાપને સંધી બાદર, થાણાપીપળીને ફકીર ચમન શાહ, વંથળી તાબે નવલખીના સંધીઓ, ગાંઠીલાને સૈયદ મલુમિયાં અને માંડાવડને કાઠી ના બહાર નીકળી ગીગા સાથે ભળી ગયા. પાટણને જહાંગીર નામનો લૂંટાર પણ આ ટેળીમાં ભળી ગયેલે પણ તે પાછળથી છૂટા પડી ગયેલ. - ઈ. સ. ૧૮૫૫માં ઉના તાબે વાવરડાને વાણિયો કેશવજી, ઉનાને સરાોિ નથ, ટીકરને સંધી મલુક, પિલે કાઠી, જગો કાઠી અને પોરબંદર મેર માલદે બહારવટે ચડયા. પિલે તથા જગો પકડાઈ ગયા. બીજા ગાગા ' સાથે ભળી ગયા. , - ઈ. સ. ૧૮૫૬ના અંતમાં બેડીવાવના મહંત ઉપર ખમીદાણાને બાવે અમરદાસ, ટીંબાવાડીને સંધી આમદ, ઉમટવાડાના સંધી ઉપર તથા કેરાળાને ભરવાડ રાજય સામે બહારવટે ચડ્યા.
ઈ. સ. ૧૮૬૭માં પાદરૂકા(પાટણ)ના આહીરે સામે સુત્રાપાડાને આહીર બહાર નીકળ્યો. સૈયદ નથુમિયાં, તરસીંગડાને જસલે હૈયે, અજાબ ઉચેરાના મૈયા, આદરીને જપૂત દાળ બહારવટે નીકળ્યા.
ઈ. સ. ૧૮૫૮માં આંત્રોલીનાં ઠક્કર પબા ઉપર ભગુમેર બહારવટે ચડયો. કેટડાના બાવા પદ્મનાથ તથા ઓમકારનાથ પણ બહારવટે ચડયા. ઘડા બલોચના સંધીઓએ લૂંટફાટ શરૂ કરી. પઠાણ સૈયદખાન ઉપર કુતિયાણાના સંધી ડોસાએ બહારવટું કર્યું. સોડવદરને હરિજન પણબહારવટે ચડ્યો.
ઈ. સ. ૧૮૫૯માં દીવાસાને રજપૂત, બડોદરા જેબલિયો કાઠી, ભાખરવને છ મૈયો બહારવટે ચડયા. તે ઉપરાંત વેરાવળના પટણી છવા આતાજી ઉપર પટણી ઈભરામ, કુતિયાણાના બાવા છતરગર ઉપર બાવે ગોવિંદ કાપડી, ખંભડીને દરજી ઉપર ટીણમસને દરજી બહારવટે ચડ્યા.