________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૧૧
પોરબંદરથી દીવાન કરમચંદ ઉર્ફે કબા ગાંધી * ૨૦૦ માણસે લઈને તથા ગોંડલથી મણિશંકર નરભેરામ વદ ૪૦૦ માણસે લઈને, મેજર હેનર, કેપ્ટન એન તથા કેપ્ટન બુલેકને આવી મળ્યા. આ દેશી અને અંગ્રેજી સૈનિકોએ આભપરાના ડુંગરમાં ભરાયેલા વાઘેરે ઉપર પ્રબળ આક્રમણ કરી તેમને વેરવિખેર કરી નાખ્યા.
વાઘેરે ત્યાંથી નાસીને ગીરના જંગલમાં ભરાઈ ગયા અને જોધા માણેકના નેતૃત્વ નીચે તેઓએ કેડીનાર લૂંટયું અને જૂનાગઢના પ્રદેશમાં ભય ફેલાવતા રહ્યા. જોધા માણેક સાસણ પાસે તાવના રોગમાં ગુજરી ગયે જે સ્થળ આજે પણ જોધા માણેકની આમલી તરીકે પ્રસિદ્ધ થયું છે.
જૂનાગઢની ગિસ્ત તેની પાછળ ચડી તેને ગિર બહાર નીકળી જવા ફરજ પાડી. આ કાર્ય માટે પોલિટિકલ એજન્ટ કેપ્ટન રસેલે તેના તા. રર-૧-૧૮૬૮ના પત્રમાં જમાદાર સાલેહ હિન્દી તથા સૈયદ અલવી એમની બહાદુરી માટે પ્રશંસા
માંચરડાના ધિંગાણામાં બ્રિટિશ સેનાના કેપ્ટન હેબર્ટ અને કેપ્ટન લાને વાઘેરેએ મારી નાખતાં તેની વિધવાઓને, દરેકને જૂનાગઢ રાજ્ય રૂપિયા ૨૦૦નું માસિક પેન્સન બાંધી આપ્યું તથા રૂપિયા ૫૫,૦૦૦ની રકમ અનામત રાખી તેમાંથી હેબર્ટ–લાટુ સોલરશિપ, મેટ્રિકમાં શ્રેષ્ઠ કક્ષાએ પાસ થતા વિવાથી માટે સ્થાપવામાં આવી. ગીગે એ
ઈ. સ. ૧૮૫૩ લગભગ કેશોદ તાબાના કણેરી ગામને ગીગા નામને ગીરાસદાર મૈયે, ગીરાસની વહેચણની તકરારમાં પિતાના ભાઈનું ખૂન કરી તેને પકડવા જનાર બાદશાહ જમાદારને ઠાર મારી તેના સાથીઓ અને ભાઈ પના વગેરેની ટોળી બાંધી રાજય સામે બહારવટે ચડે. ગીગાનું રાજ્ય સાથે સમાધાન
1 પૂ મહાત્મા ગાંધીજીના પિતાશ્રી. 2 દીવાન રણછોડજીની પુત્રીના પુત્ર. 3 દીવાન અનંતજીનું જીવનવૃત્તાંત, 4 જમાદાર સાલેહ હિન્દીના ટેસ્ટિમેનિયલ્સ. 5 આવું પેન્શન જામનગર રાજ્ય પણ બાંધી આપેલું.
બાબી ફલર્સ ઓફ સોરઠમાં એક સ્થળે આ રકમ ૧૦,૦૦૦ની હતી તેવો ઉલ્લેખ છે.