________________
૨૦ : જૂનાગઢ અને ગિરનાર દીવાનને હો
જૂનાગઢના બાબી વંશના સ્થાપક શેરખાને દિલ્હીના શહેનશાહ તરફથી મળેલો દીવાનને હેદો ધારણ કરેલ તેથી તેના નામાભિધાનમાં “શ્રી દીવાન નવાબ સાહેબ શ્રી ૭ શબ્દો લખાતા. મહાબતખાનજી બીજાના મૃત્યુ સુધી એટલે ઈ. સ. ૧૮૮૨ સુધી દીવાન શબ્દ લખાતે પણ તે પછી ક્રમશઃ દીવાન શબ્દને ઉપયોગ બંધ થ. સાર્વભૌમ સત્તાની તાકીદ
ઈ. સ. ૧૮૭રમાં નવાબ મહાબતખાનજી મુંબઈ ગયેલા ત્યારે તેના રસાલામાં નિયાઝ મહમદખાન નામનો એક માણસ હતા. જે બળવાના સમયને ગદાર હતા તેથી મુંબઈની પોલીસે તેને પકડી લીધે અને સાર્વભૌમ સત્તા સામે બળ કરનાર માણસને આશ્રય આપવા માટે નવાબને ખુલાસો મગાયો. નવાબે અજાણપણું બતાવી માફી માગી અને સાર્વભૌમ સત્તાએ પુનઃ આવું કૃત્ય ન કરવા તાકીદ આપી ઠપકે આપો. વાઘેરે
ઓખા મંડલના વાઘેરેએ અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સરકાર સામે વિદ્રોડ કરી યુદ્ધ કર્યા અને જ્યારે તેઓ તેમાં નિષ્ફળ ગયા ત્યારે બહારવટે ચડયા. ઈ. સ. ૧૮૬માં તેઓ સૌરાષ્ટ્રમાં ઉતરી આવી બરડાના ડુંગરમાં ભરાઈ ગયા.
બ્રિટિશ સરકારે આ બહારવટાંને ઇ સ. ૧૮૫૭ના વિપ્લવનું સ્વરૂપ આપી, સૌનાષ્ટ્રના રાજાઓને તેમને ઉચ્છેદ કરવા કડક આજ્ઞા આપી અને બ્રિટિશ સેલરોની એક બેટેલિયન સૌરાષ્ટ્રમાં મોકલી. સૌરાષ્ટ્રના ડુંગરાળા પ્રદેશોમાં સોલરો બહુ સફળ થયા નહિ અને તેથી દેશી રાજ્યના સંનિકોને આ કાર્ય માટે બોલાવવામાં આવ્યા.
જુનાગઢ તરફથી દીવાન અનંતજી અમરચંદ તથા દેવશી કરસન ૭૦૦ માણો લઈને, જામનગર તરફથી જાલમસિંહ જાડેજા ૧૦૦૦ માણસો લઈને
1 પ્રોટેકટેડ પ્રિન્સીસ ઓફ ઈન્ડિયા-ડબલ્યુ. લી. રનર ભાષાંતર હિન્દુસ્તાનનાં રક્ષિત
-શ્રી દુર્લભજી ધરમસી વૈદ