________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૦૯
વાલીશાન હશમત વ ઈઝલાલ નિશાન રફીયત વ શૌકત બુનિયાદ મહેબત વ મુબૈદત તવામાન અઝિમુલ ખિતાબ નવાબ સાહેબ (મહાબતખાનજી) બહાદૂર, વાલીએ જૂનાગઢ, સલમેયાલ મુન્નાન અઝદીલ એખલાસ (કર્નલ કોટિંગ્સ) પિલિટિકલ એજન્ટ પ્રાંત કાઠિયાવાડ કેમ્પ (વંથળી) સલામ બાદ ઈજહારે ઈતિક મુલાકાત સરોપ મુશરત મુખશફ ખાતિર મહેબત ઝ ખયર આં કે-” પછી પત્રની વિગત
આ પ્રમાણે બાઈ બીબીઓને લખવાના પત્રોનું મથાળું પણ મુકરર થયું.
પ્રજાજનેને નવાબને અરજી કરવી હોય તો તેના મથાળે “ખુદાવન્દ ખુદાએગાન, ફઝબક્ષ ફઝરસાન, ગરીબ પરવર સલામત નવાબ સાહેબ શ્રી ૭ (મહાબતખાનજી) બાબી બહાદુર વાલીએ સોરઠની ખાસ હઝરમાં- એમ લખવાનું રહેતું. રાજ્યમુદ્રા
જૂનાગઢ રાજ્યની રાજ્યમુદ્રા આ સમયે અસ્તિત્વમાં આવી. તેમાં ઊગતો સૂર્ય, આગળ સમુદ્ર, તેમાં તરતી નૌકા તથા સિંહ હતાં નીચે દેવનાગરી અક્ષરમાં “સૌરાષ્ટ્ર” લખવામાં આવેલું. આ મુદ્રા ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બરની ૯મી તારીખ સુધી પ્રચલિત રહી. શાહી ધ્વજ
જૂનાગઢ રાજ્યને તેના વાવટાની આકૃતિ રજૂ કરવા માટે એજન્સીએ કહ્યું અને કેટલાક પત્રવ્યવહાર પછી જૂનાગઢ રાજ્ય મેકલેલી આકૃતિ મંજૂર કરી. ઈ. સ. ૧૮૭૭ ના જાન્યુઆરીની પહેલી તારીખે સામ્રાજ્ઞી વિકટોરિયા તરફથી વાઈસરોય લોર્ડ લિટને, મહારાણી વિકટોરિયાએ “કેસરે હિન્દીનું પદ ગ્રહણ કર્યાના પ્રસંગે ભરાયેલા દરબારમાં રાજ્યને શાહી ધ્વજ અર્પણ કરવામાં આવ્યું. તેમાં લીલા રંગની ઢાલ ઉપર એક પંકિતમાં મુદ્દાઓ અંક્તિ કરવામાં આવી છે. તેના શિરાભાગે બે અને નિભાગે બે કેણમાં ત્રણ ખડકોની આકૃતિઓ છે. ઉપરના ભાગે રૂપેરી રંગના બે ઊભા સિંહના ટેકાવાળી રકતવણું સિંહની મખાકતિ છે. આ ધ્વજ નીચેના મુદ્રાલેખમાં નાગરી લિપિમાં “સૌરાષ્ટ' શબ્દ લખ્યો છે.
1 આ લખાણપદ્ધતિ પાછળથી બંધ થઈ ગઈ હતી. 2 ઉપર પ્રમાણે જ. ગિ – ૭